સમસ્યા- હું સુરતનો વતની છું. મારી ઉંમર 22 વર્ષની છે. જાતે બ્રાહ્મણ છું. મારા શિશ્નની અગ્રત્વચા પાછળ જતી નથી. જાતે બ્રાહ્મણ હોવાથી ઘરવાળા આ ઓપરેશનની ના પાડે છે. આ ઓપરેશન માટે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને તેનો ખર્ચ શું થાય તે જણાવવા વિનંતી. મારા લગ્ન ચાર મહિના પછી છે. તો મારે આ ઓપરેશન પછી શું સંભાળ રાખવાની જરૂર છે તે પણ જાણાવશો.
ઉકેલ-સુન્નતનું ઓપરેશન બે પ્રકારે થાય છે. એક સંપૂર્ણ સુન્નત કે જેમા ધાર્મિક કારણોસર આગળની અગ્રત્વચા જન્મ પછી થોડાંક દિવસોમાં દુર કરવામાં આવે છે. અને ઘણીવાર અગ્રભાગ અને નીચેના ભાગને જોડતી ચામડી જેને મેડિકલ ભાષામાં ફેનમ કહેવામાં આવે છે. જે અમુક વ્યક્તિઓમાં ટૂંકી હોય છે. આવી વ્યક્તિઓમાં આ ચામડી પ્રથમવાર સંભોગ વખતે તૂટી જવાની સભાવના રહેલ છે. જો માત્ર આ ચામડી દુર કરવામાં આવે તો તેને હિન્દુ સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. ડોક્ટરી તપાસ બાદ જ નક્કી કરી શકાય કે આપના માટે ક્યું ઓપરેશન કરી શકાય. આ ઓપરેશનમાં દસ મિનિટ જેટલો સમય લાગે છે. અને ચાર કલાકમાં તમે ઘરે જઇ શકો છો. સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન મફત થાય છે. આ ઓપરેશન બાદ આશરે દોઢ મહિના સુધી જાતીય જીવનથી દુર રહેવું
જોઇએ. બાકી બીજી કોઇપણ તકેદારીની જરૂર નથી.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર