Home /News /lifestyle /પાણીમાં નહીં, આ વસ્તુની સાથે સવારમાં ખાલી પેટે બદામ ખાઓ, પાચનથી લઇને અનેક બીમારીઓ દૂર થશે
પાણીમાં નહીં, આ વસ્તુની સાથે સવારમાં ખાલી પેટે બદામ ખાઓ, પાચનથી લઇને અનેક બીમારીઓ દૂર થશે
પાચન તંત્ર સારું થાય છે.
Benefits of almond and honey: ડ્રાય ફ્રૂટ્સમાં બદામને એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. બદામ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ, જો તમે બદામને પાણીની જગ્યાએ મધમાં પલાળીને ખાઓ છો તો તમારા શરીરને અનેક ઘણો ફાયદો થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમે પણ પાણીમાં પલાળેલી બદામ ખાઓ છો? સામાન્ય રીતે મોટાભાગનાં લોકોના ઘરમાં પાણીમાં બદામ પલાળીને ખાવામાં આવતી હોય છે. બદામ એક એવું ડ્રાયફ્રૂટ્સ જેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. ઘણાં લોકો સૂકી બદામ ખાતા હોય છે તો ઘણાં લોકો પલાળેલી બદામ ખાતા હોય છે. મોટાભાગનાં લોકો પાણીમાં પલાળીને ફુલેલી બદામ ખાતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમે પલાળેલી બદામ કરતા મધમાં પલાળેલી બદામ તમે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
તમને જણાવી દઇએ કે મધ અને બદામ બન્ને સુપર ફૂડ્સ છે. આ બંન્નેનું મિશ્રણ સવારમાં તમે ખાલી પેટે સેવન કરો છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને તમે અનેક બીમારીઓથી દૂર રહો છો. આર્યુવેદમાં મધને અમૃતની જેમ માનવામાં આવે છે. મધમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બદામના બેનિફિટ્સમાં વધારો કરે છે. તો જાણી લો તમે પણ મધ અને બદામ પલાળીને ખાવાથી થતા આ લાભ વિશે.
મધ અને બદામ પલાળીને ખાવાથી તમારા શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે. આ સાથે જ તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો છો. આ માટે દરેક લોકોએ બ્રેકફાસ્ટમાં એડ કરવી જોઇએ.
ઘણાં લોકોની પાચન શક્તિ બહુ નબળી હોય છે. તમને પણ પાચન શક્તિને લઇને કોઇ પ્રશ્ન છે તો તમે મધની સાથે બદામ ખાવાનું શરૂ કરી દો. આમાં રહેલું ફાઇબર શરીરમાં સારી રીતે બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે જેના કારણે પાચન તંત્ર સારું થાય છે.
તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે તમે બદામ અને મધનું સેવન રેગ્યુલર કરો છો તો તમારા વાળ અને સ્કિન માટે સૌથી વધારે ફાયદાકારક છે. આમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, વિટામીન ઇ હોય છે જે સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે અને સાથે વાળને મજબૂત કરવાનું કામ કરે છે.
મધ અને બદામનું સેવન રોજ સવારમાં કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ માટે નાના બાળકોને રોજ બદામ અને મધનું સેવન કરાવવું જોઇએ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર