Home /News /lifestyle /Desi Ghee Benefits: સવારના સમયે એક ચમચી દેશી ધી આપશે જબરજસ્ત ફાયદા, તમે પણ જાણી લો
Desi Ghee Benefits: સવારના સમયે એક ચમચી દેશી ધી આપશે જબરજસ્ત ફાયદા, તમે પણ જાણી લો
એક ચમચી ઘી તમારા શરીરને આપશે અનેક ફાયદા.
Desi Ghee Benefits: બધાં જાણે છે કે દેશી ધી (Desi Ghee)નું સેવન સ્વાસ્થ માટે કેટલું ફાયદાકારક (Beneficial) છે. ઘીમાં રહેલા કોન્ઝયુગેટેડ લિનોલેઈક એસિડ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘીમાં વિટામિન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે,
Desi Ghee Benefits: બધાં જાણે છે કે દેશી ધી (Desi Ghee)નું સેવન સ્વાસ્થ માટે કેટલું ફાયદાકારક (Beneficial) છે. તેમ છતાં આજકાલ લોકો ધીનું સેવન ટાળે છે. તેમને લાગે છે કે ઘી ખાવાથી તેમનું વજન વધી જશે. શું તમે જાણો છો કે જો યાગ્ય પ્રમાણમાં ઘીનું સેવન કરવામાં આવે તો ઘી શરીરને જબરજસ્ત ફાયદા (Benefit) પહોંચાડે છે. જો યોગ્ય પ્રમાણમાં ઘીનું સેવન કરવામાં આવે તો તેનાથી વજન વધવાની તકલીફ પણ થતી નથી, સાથે જ ઘીમાં રહેલા કોન્ઝયુગેટેડ લિનોલેઈક એસિડ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘીમાં વિટામિન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે નાસ્તામાં કોઈ પણ રીતે તમારે એક ચમચી ઘીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ઘી તમારા શારિરીક અને માનસિક સ્વાસ્થને ઉત્તમ બનાવવામાં ઘણી જ રીતે ઉપયોગી થશે. આવો જાણીએ ઘીના ફાયદા વિશે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
ઘીનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેના સેવનથી આપણા શરીરના ટોક્સિન્સ બહાર નિકળી જાય છે. જો તમે ઘીનું સેવન કરો છો તો તેના કારણે તમારું માનસિક સ્વાસ્થ પણ ઉત્તમ રહે છે.
કબજીયાત અને પાચન તંત્રને લગતા રોગો ઘી ખાવાથી આપોઆપ દૂર થઈ જાય છે. ઘીમાં વિટામિન એ, ડી, ઈ અને કેનું પૂરતું પ્રમાણ જોવા મળે છે. આ તમામ તમારા પેટને સ્વસ્થ રાખવા માટે મહત્વના છે. એટલું જ નહી ઘીમાં મળી આવતા એમિનો એસિડ પેટની ચરબીને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
ઘીનું સેવન કરવાથી તમારા શરીરમાં થતી સાંધાના દુખાવાની તકલીફ ઓછી થાય છે. ઘીમાં વિટામિન કે-2 હોય છે. આ વિટામિન શરીરમાં કેલ્શિયમ પહોંચાડવાનું કામ કરે છે જેના કારણે હાડકાઓને મજબૂતી મળે છે. એટલું જ નહીં વાળ અને ત્વચા માટે પણ ઘી ઘણું ફાયદાકારક છે.
દેશી ઘીના સેવનથી યાદ શક્તિમાં વધારો થાય છે અને મગજ તેજ થાય છે. સાથે જ ઘીના સેવનથી શારિરીક નબળાઈ ઓછી થાય છે અને શરીરમાં સ્ફુર્તી રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારીઓ અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટી નથી કરતા. આ સૂચનો પર અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતોની સલાહ અવશ્ય લેવી)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર