Home /News /lifestyle /Health Tips : શરીરમાં આ સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા ખજૂર, થઈ શકે આવી આડઅસર
Health Tips : શરીરમાં આ સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા ખજૂર, થઈ શકે આવી આડઅસર
વધારે પડતી ખજૂર ખાવાના આ છે ગેરફાયદા
ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન, વિટામીન B6 અને વિપુલ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. આટલા પૌષ્ટિક હોવા છતાં ખજૂરની કેટલીક આડઅસર પણ છે.
પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્ય માટે ખજાનો છે. ખજૂર ઠંડીમાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મળી જાય છે. ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વગેરે તત્વો હોય છે. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
ખજૂરમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આપણને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે. 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ સિવાય તે 277 કેલરી એનર્જી આપે છે.
ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન, વિટામીન B6 અને વિપુલ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. આટલા પૌષ્ટિક હોવા છતાં ખજૂરની કેટલીક આડઅસર પણ છે. ખજૂર વધારે ખાવાથી એલર્જી અને પેટમાં દુ:ખાવો પણ થઈ શકે છે.
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખજૂરનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરની માત્રા ઘટી જાય છે. તો ચાલો જાણીએ કે કયા સંજોગોમાં ખજૂરનું સેવન ન કરવું જોઈએ.
1. એલર્જી- વેબએમડીના અહેવાલ અનુસાર, વધુ પડતી ખજૂર ખાવાથી કેટલાક લોકોમાં એલર્જી થઈ શકે છે. બીજી તરફ ખજૂરમાં મળી આવતા સલ્ફાઈડની વધુ પડતી માત્રાને કારણે કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. કેટલાક લોકોને ઘણી ખજૂર ખાધા પછી આંખોમાં ખંજવાળ, વધુ પાણી આવવું અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમને ખજૂર ખાધા પછી એલર્જી હોય તો તેને તરત જ છોડી દો.
2. વજન ઘટાડવામાં ફાયદાકારક નથી- WebMDના રિપોર્ટ અનુસાર, માત્ર બે સૂકી ખજૂર 110 કેલરી એનર્જી આપે છે. આ ખજૂર શરીરને ત્વરિત ઉર્જા આપે છે પરંતુ ખજૂર વજન ઘટાડવા માટે આદર્શ નથી. જો તમારે વજન ઓછું કરવું હોય તો ખજૂરનું સેવન બિલકુલ ન કરો. ખજૂરને બદલે અન્ય ડ્રાય ફ્રૂટ્સ ખાવા, જેમાં તમને એટલી જ માત્રામાં પૌષ્ટિક તત્વો મળી શકે છે, પરંતુ તેમાં ઘણી કેલરી હોતી નથી.
3. લો બ્લડ શુગર- અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન એટલે કે NCBIના રિસર્ચ અનુસાર ખજૂરનું વધુ પડતું સેવન હાઈપોગ્લાયસીમિયાના લક્ષણોમાં વધારો કરે છે. જેના કારણે લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ જરૂરી કરતાં ઘણું ઓછું થઇ જવુ. રિસર્ચ અનુસાર કેટલાક લોકોનો પર આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ખજૂર ખાધા પછી તેમને અસ્વસ્થતા અને અપચો થયો હોવાની ફરિયાદ સામે આવી હતી. જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, તેનાથી બ્લડ શુગર લેવલ ઘણું ઓછું થઈ ગયું છે. તેની સાથે જ તેને ઉંઘ પણ ન આવવા લાગી અને ધ્રૂજવા લાગ્યો અને પરસેવો આવવા લાગ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર