Home /News /lifestyle /Ayurvedaનાં આ ઉપાયો ઝડપથી Immunity કરે છે બુસ્ટ, અજમાવો ઠંડીમાં અને બચો અનેક બીમારીઓથી
Ayurvedaનાં આ ઉપાયો ઝડપથી Immunity કરે છે બુસ્ટ, અજમાવો ઠંડીમાં અને બચો અનેક બીમારીઓથી
નેચરલ રીતે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.
Ayurveda immunity booster: ઠંડીની સિઝનમાં ખાસ કરીને અનેક લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જતી હોય છે. શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાને કારણે શરીરમાં નબળાઇ આવે છે અને સાથે-સાથે અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. આ માટે ઠંડીની સિઝનમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિલ્હીમાં હાલમાં ઠંડીનો ચમકારો છે. ઠંડીમાં વધારો થતા જ અનેક લોકો ઠુઠવાઇ રહ્યા છે. આ ઠંડીથી બચવા લોકો જાતજાતના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ઠંડીમાં શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓમાં અનેક લોકો જલદી આવી જતા હોય છે. ખાસ કરીને નાના બાળકો પણ આ સમસ્યામાં ઝડપથી આવી રહ્યા છે. આ સાથે જ અસ્થમા, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વાતાવરણમાં સંક્રમણ અને બીમારીઓમાં લોકો જલદી ઝડપાઇ રહ્યા છે. આ સાથે જ બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડવા લાગી છે. એક સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ અનેક પ્રકારના રોગોથી તમને બચાવવાનું કામ કરે છે.
તો આજે અમે તમને શરીરના અનેક રોગો સામે લડવા માટે નેચરલી રીત જણાવી રહ્યા છે. આર્યુવેદમાં આ ઉપાયો હજારો વર્ષોથી ચાલી રહ્યા છે. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે અને તમારી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ નેચરલી રીતે સ્ટ્રોંગ કરો.
ઓઇલ પુલિંગ થેરાપી
NCBI અનુસાર મોંમા અનેક પ્રકારના બેક્ટેરિયાની સાથે ખરાબ બેક્ટેરિયા પણ હોય છે, જેને સમય-સમય પર સાફ કરવા ખૂબ જરૂરી છે. એવામાં આર્યુવેદમાં ઓઇલ પુલિંગ થેરાપી હોય છે જે તમને આ ટાઇપના બેક્ટેરિયામાંથી છૂટકારો અપાવવાનું કામ કરી શકે છે.
ઓઇલ પુલિંગ બેક્ટેરિયાને દૂર કરવા માટે મોંમા તેલ નાંખવાની એક પ્રાચીન થેરાપી છે. આ મૌખિક સ્વચ્છતાને વઘારે છે અને સાથે બીમારીઓ અને સંક્રમણને દૂર રાખે છે. આ માટે તમે નારિયેળ તેલ અને તલના તેલની સાથે-સાથે ઓઇલ પુલિંગ કરી શકો છો.
નસ્ય થેરાપી
આયુષ મંત્રાલય અનુસાર નસ્ય થેરાપી ઇમ્યુનિટી વધારવામાં સૌથી કારગર છે. આ થેરાપી આર્યુવેદમાં નસ્ય પાંચ પંચકર્મ ઉપચારોમાંથી એક છે. આ ન્હાવાના એક કલાક પહેલા ખાલી પેટે કરી શકો છો. આને કરવા માટે માથાને પાછળ કરીને સૂઇ જાવો અને પછી નાકમાં એક-એક કરીને 4 થી 5 ટપકાં નાંખવાના હોય છે. આ નાસિકા માર્ગ અને સાઇનસને સાફ રાખે છે. આ એક બેસ્ટ થેરાપી તરીકે સાબિત થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર