ભુજ: શહેરના રામ નગરી વિસ્તારમાં 50 વર્ષથી રહેતા લોકોને રેલવે દ્વારા નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભરાયો છે. રેલવે દ્વારા સ્થાનિકોને ઘરો ખાલી કરવાની નોટિસ મુદ્દે સ્થાનિકોએ નાખુશી વ્યકત કરી છે. આ મુદ્દે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો તેમને અન્ય સ્થળે જમીન આપવામાં આવશે તો તેઓ સ્થળાંતર કરવા તૈયાર છે અથવા તો તેમના ઘરો તોડવા આવનાર જેસીબી નીચે તેઓ પોતાનું જીવ આપશે.