ગત મહિને ભચાઉ તાલુકાનાં નેર ગામે મંદિરમાં પ્રવેશ કરવા બાબતે અનુસૂચિત જાતિના લોકો પર થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. તે વચ્ચે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રાપર તાલુકાનાં વરણું ગામે દલિત સમાજના લોકો સાથે મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. આવતીકાલે મંગળવારે મેવાણી નીર ગામની ઘટનાનાં પીડિતોને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મળવા જશે.