કચ્છ: ભુજ તાલુકાના સણોસરા ગામે બે સર્વે નંબરની જમીન મુદ્દે વર્ષ ૨૦૧૪ થી કેસ ચાલી રહ્યો હતો. આ મુદ્દે એક પક્ષ દ્વારા તેમની જમીન ગામના એક વ્યક્તિ દ્વારા પચાવી હોવાની ફરિયાદ કરાઇ હતી. ગત વર્ષે આ મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો જે મુદ્દે એક પક્ષે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની રાય ન લેવા ઉપરાંત તેમને આ ચુકાદા વિષે જાણ કરવામાં પણ આવી ન હતી. આ બાબતે પરિવાર દ્વારા મંગળવારથી જિલ્લા કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ કરવાની ચીમકી અપાઇ હતી.