Home /News /kutchh /ફરી ધ્રૂજી ગુજરાતની ધરા, રાત્રે અમરેલી બાદ આજે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો

ફરી ધ્રૂજી ગુજરાતની ધરા, રાત્રે અમરેલી બાદ આજે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો

સવારે 10.49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો

અમરેલી બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો. આજે સોમવારે સવારે 10.49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો. કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર

કચ્છ: કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. અમરેલી બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે સવારે 10.49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ બાદ ફરી કચ્છમાં ભૂંકપનો આંચકો આવતાં લોકોની ચિંતા વધી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો છે.

રાત્રે 1.42 વાગ્યે 3.3ની તીવ્રતાનો આંચકો

અમરેલી જિલ્લાના ખાંભા પંથકની ધરતી ફરી એક વાર ધૃજી ઉઠી હતી. ગત મધ્યરાત્રે 1:42 કલાકે ભાડ, વાકીયા, જીકીયાળી, મીતીયાળા સહિતના ગામોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો ફફડી ઉઠયા હતા. મધરાતે ભૂકંપનો આંચકો આવતાં થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી અને તમામ લોકો પોતાના ધર બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદૂ અમરેલીથી 45 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસથી અમરેલીમાં આંચકા આવે છે. સતત આવતા ભૂકંપના આંચકાથી રહીશોમાં દહેશતનો માહોલ છે.


આ પણ વાંચો: સાચવજો! સુરતમાં આ માતા-પુત્રીની જોડીએ મચાવ્યો તરખાટ

વારંવાર ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે

આના કલાકો પહેલા જ અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અહીં અનુભવાયેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.2 નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા વિસ્તારમાં નોંધાયું હતું. કચ્છ સહિત સૌરાષ્ટ્રના ગામોમાં વારંવાર ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે. ગીરના જંગલના ગામડામાં સતત વધી રહેલા ભૂકંપના આંચકા લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે.
First published:

Tags: Earthquakes, Gujarat News, Kutch news