Home /News /kutchh-saurastra /ગુજરાતનું એક એવું ગામ જ્યાં વિદેશ જવા ઇચ્છુક લોકોની મનોકામના થાય છે પૂર્ણ

ગુજરાતનું એક એવું ગામ જ્યાં વિદેશ જવા ઇચ્છુક લોકોની મનોકામના થાય છે પૂર્ણ

ગામ લોકોનું કહેવું છે કે, દોલો મા ખરેખરમાં અનેક લોકોની વિદેશ યાત્રા સફળ કરી દે છે.

ગામ લોકોનું કહેવું છે કે, દોલો મા ખરેખરમાં અનેક લોકોને વિદેશ યાત્રા સફળ કરી દે છે, જેઓ સતી થઈ ગયા, અને કાળક્રમે ગામ લોકોની મદદ આવતાં તેમનું મંદિર બનાવાયું છે. એટલે કે ગુજરાતના આ ગામમાં એક એવું મંદિર બંધાયું છે. જ્યાં દિવસ રાત માતાની આરતી થાય છે.

વધુ જુઓ ...
ગુજરાતનું એ કયું ગામ છે જ્યાં મહિલા સતી (Sati Mata's Temple) બની હતી. આશરે સાડા 800 વર્ષ પહેલાં એક મહિલા ગુજરાતના ઝુલાસણ (Zulasan) ગામે સતી બન્યા હતા અને આજે જે હાજરાહાજુર રહીને લોકોના દુ:ખ દૂર કરે છે. એટલું જ નહીં એ સતી વિદેશ યાત્રા જવાનો રસ્તો ખોલી આપે છે. આ મહિલા ઝુલાસણ ગામે દેવી સ્વરૂપે મંદિર (Zulasan Temple)માં પુજાય છે. આ મંદિરમાં લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ જો કોઇ મહિલાના ઘરે પારણું ન બંધાતું હોય તો અહીં આવીને માનતા રાખતા તેમના ઘરે પારણું બંધાઇ જાય છે, સાથે જ વિદેશ જવા ઇચ્છુક લોકો ઝુલાસણ ગામે સતી માતાના મંદરે મોટી સંખ્યામાં આવે છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે

ગામ લોકોનું કહેવું છે કે, દોલો મા ખરેખરમાં અનેક લોકોને વિદેશ યાત્રા સફળ કરી દે છે, જેઓ સતી થઈ ગયા, અને કાળક્રમે ગામ લોકોની મદદ આવતાં તેમનું મંદિર બનાવાયું છે. એટલે કે ગુજરાતના આ ગામમાં એક એવું મંદિર બંધાયું છે. જ્યાં દિવસ રાત માતાની આરતી થાય છે.



સાડા આઠસો વર્ષ પહેલાંની કહાણીની વાત કરીએ તો આજે જ્યાં મંદિર છે ત્યાં જંગલ હતું. જ્યાં એક મહિલાની પાછળ કેટલાંક લૂંટારુઓ પડ્યા હતા. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા એક વખડામાં પહોંચી હતી. જ્યાં મહિલાએ સિધ્ધેશ્વરી માતાને અરજ કરી અને ત્યારબાદ જે થયું તે કહાની આજેય લોકચર્ચિત છે.

 આ પણ વાંચો- સુરતમાં મુંગા પશુ પર ઘાતકી હુમલો, બળદની પીઠમાં ખોસી નાંખી કુહાડી

પુજારી દિનેશ પંડ્યાનું જો માનીએ તો હાલ જ્યાં આ મંદિર છે ત્યાં જંગલ હતું અને ત્યાં એક મહિલાની પાછળ લૂંટારુઓ પડ્યા હતા. આ મહિલા બાજુના ગામ પાનસર ગામની હતી અને તેણે ઘણા દાગીનાઓ પહેર્યા હતા. જેને લૂંટવા લૂંટારુઓ આ મહિલાની પાછળ પડ્યા હતા. ત્યારે દોડતા દોડતા મહિલા વખડોના વૃક્ષ પાસે પહોંચી હતી. એ જ વખડોના વૃક્ષ પાસે સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં જ પોતાની ઈજ્જત બચાવવા આ મહિલા સતી થઈ ગઈ હતી અને આ મહિલા ત્યાં જ ફૂલનો ઢગલો બની ગઈ. ત્યારથી જ અહીં દેવીનું મંદિર બનાવાયું છે.

આ પણ વાંચો- હીરાના કારખાનાના માલિકની ક્રૃરતા

ગુજરાતમાં આ માત્ર એક જ મંદિર એવું છે જ્યાં દેવી દોલો દેવીની પૂજા થાય છે. આ મંદિરમાં વચ્ચેની સાઈમાં ડોલા માતાનું પથ્થરનું યંત્ર અને જમણી બાજુ છે ડોલા માતાની મૂર્તિ જ્યારે સિદ્ધેશ્વરી માતાજીની મૂર્તિ ડાબી બાજુ છે. ડોલા માતાની આ મૂર્તિને લઈ ચમત્કારો પણ ઘણા છે સાથે જ અનેક સવાલો પણ છે.

ગામના લોકોનું કહેવું છે કે આ ડોલા માતાજી સતી બની ગાયબ થઈ ગયા હતા. ત્યારે ફૂલોનો ઢગલો ત્યાં થઈ ગયો હતો. જેને ચમત્કાર માનીને આ ગામના લોકો અહીં પૂજા કરવા લાગ્યા હતા. ત્યારથી એટલે કે 700 વર્ષથી અહીં હિન્દુ મંદિરમાં ડોલા માતાજીની પૂજા થાય છે. ત્યારે ગામના લોકોની આ મંદિરથી ઘણી મનોકામનાઓ પૂર્ણ થવા લાગી ત્યારે ગામના લોકોએ અહીં પોતાના જ પૈસાથી ભવ્ય મંદિર બનાવી દીધું છે. અહીં અગાઉ ડોલા માતાનું ફક્ત પથ્થરનું યંત્ર જ હતું પરંતુ કહેવાય છે કે એક ભક્તના સ્વપ્નમાં ડોલા માતાજી આવ્યા હતા અને તેમણે જ પોતાનું સ્વરૂપ બતાવ્યું હતું ત્યારથી જ અહીં ડોલા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
First published:

Tags: Abroad, Gujrati news, Saurashtra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો