Home /News /kutchh-saurastra /તલાટીની પરિક્ષામાં ગેરરીતીઃપરિક્ષાર્થીઓએ આવેદન આપ્યું, સરકારે આપ્યા તપાસના આદેશ

તલાટીની પરિક્ષામાં ગેરરીતીઃપરિક્ષાર્થીઓએ આવેદન આપ્યું, સરકારે આપ્યા તપાસના આદેશ

ગાંધીનગર,અમદાવાદ, પાલનપુરઃગઈકાલે સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકા મથકે આવેલ આદર્શહાઈસ્કૂલ ના કેમ્પસમાં ગઈકાલે તલાટીની ભરતી માટે પરીક્ષા માટેનું સેન્ટર હતું. જયા પરીક્ષાર્થીઓને શાળાના પ્રિંસીપાલ અને અધ્યાપકો દ્વારા ચોરી કરાવાઈ હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથેનો પરિક્ષાર્થીનો વીડિયો કાલે વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુરમાં પણ ગેરરીતી સામે આવી હતી. ત્યારે આજે મંત્રી જયંતિ કાવડિયા દ્વારા તપાસના આદેશ અપાયા છે.

ગાંધીનગર,અમદાવાદ, પાલનપુરઃગઈકાલે સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકા મથકે આવેલ આદર્શહાઈસ્કૂલ ના કેમ્પસમાં ગઈકાલે તલાટીની ભરતી માટે પરીક્ષા માટેનું સેન્ટર હતું. જયા પરીક્ષાર્થીઓને શાળાના પ્રિંસીપાલ અને અધ્યાપકો દ્વારા ચોરી કરાવાઈ હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથેનો પરિક્ષાર્થીનો વીડિયો કાલે વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુરમાં પણ ગેરરીતી સામે આવી હતી. ત્યારે આજે મંત્રી જયંતિ કાવડિયા દ્વારા તપાસના આદેશ અપાયા છે.

વધુ જુઓ ...
    ગાંધીનગર,અમદાવાદ, પાલનપુરઃગઈકાલે સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકા મથકે આવેલ આદર્શહાઈસ્કૂલ ના કેમ્પસમાં ગઈકાલે તલાટીની ભરતી માટે પરીક્ષા માટેનું સેન્ટર હતું. જયા પરીક્ષાર્થીઓને શાળાના પ્રિંસીપાલ અને અધ્યાપકો દ્વારા ચોરી કરાવાઈ  હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથેનો પરિક્ષાર્થીનો વીડિયો કાલે વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુરમાં પણ ગેરરીતી સામે આવી હતી. ત્યારે આજે મંત્રી જયંતિ કાવડિયા દ્વારા તપાસના આદેશ અપાયા છે.

    hirvani scool

    જેને લઈને આજે ગેરરીતિનો આક્ષેપ કરનાર વિધાર્થીએ બીજા વિધાર્થીઓ દ્વારા આની તપાસ કરાવવા માટે દિયોદર નાયબ કલેકટર ને આવેદન આપ્યું હતું  જ્યારે આ ઘટનામાં પરીક્ષા આપવા આવેલ દશરથ માળી નામનાં પરિક્ષાર્થીએ શાળાના આચાર્ય અને અન્ય વર્ગખંડ નિરીક્ષકો પર કેટલાક પરિક્ષાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે "શાળાના આચાર્ય અને અન્ય બે વર્ગખંડ નિરીક્ષકોએ પરીક્ષામાં ગેરીરીતી આચારી છે વર્ગખંડ નિરીક્ષકે બધાની ઓએમઆર સીટ લઈ અને માત્ર એક જ પરિક્ષાર્થી સીટ નંબર ૨૦૫૨૦૨૫ ની ઓએમઆર સીટ ન લીધી હતી અને સમય પૂરો થયા બાદ પણ તેને વર્ગખંડમાં બેસાડી રાખવામાં આવ્યો હતો.એ સિવાય ૨૦૫૨૦૫૮ વાળા પરીક્ષાર્થીને પણ વર્ગખંડ નિરીક્ષકે ચોરી કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.


    જો કે આ સમગ્ર મામલા અંગે શાળાના આચાર્ય અને કેટલાક શિક્ષકો પર આક્ષેપોને લઇને વાઇરલ થયેલ મેસેજ બાદ આદર્શ હાઇસ્કુલના આચાર્ય ભગવાનભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવેલ કે આ બાબત ને લઈ ને પરિક્ષાર્થી દ્વારા લાગવાયેલ આરોપો પાયા વિહોણા છે તેમ કહી વાત  નકારી કાઢી હતી અને આ વાત ખોટી હોવાનું કહ્યું હતું.


    જયારે આ ઘટના ના વિરોધ માં આજે વિધાર્થીઓ દ્વારા  દિયોદર કલેક્ટર કે એસ ગેલાત ને  પરિક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં છે તેની તપાસ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે એવી લેખિત ફરિયાદ અને આવેદનપત્ર આપી તપાસ ની માંગ કરી હતી.

    jaynti kavdia


    પરીક્ષામાં ગેરરીતિના દરેક કેસની તપાસ કરવામાં આવશે
    પંચાયત મંત્રી જયંતિ કવાડીયાનું નિવેદન
    સુરેન્દ્રનગરમાં 5 કોપી કેસ થયા છે, પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
    છોટાઉદેપુરમાં પરીક્ષા નિરીક્ષકની ભુલ થઇ હોવાનું પણ ધ્યાનમાં આવ્યુ છે
    ફેસબુક પર પરીક્ષામાં ગેરરીતિનો વીડિયો વાયરલ થવા અંગે તપાસના આદેશ
    પરીક્ષામાં ગેરરિતી કરવાની વાતની પણ તપાસ કરવાના આદેશો અપાયા
    First published: