Home /News /kutchh-saurastra /Shocking News : રાજકોટમાંં બે સગા ભાઈઓના આપઘાતનું કારણ શું? રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

Shocking News : રાજકોટમાંં બે સગા ભાઈઓના આપઘાતનું કારણ શું? રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

X
રાજકોટઃ

રાજકોટઃ બેડી માર્કેટિંગ યાર્ડમાં બે સગા ભાઈઓનો આપઘાત, આર્થિકભીંસ કારણભૂત હોવાની શંકા

Rajkot News : રાજકોટમાં બેડી માર્કેટ યાર્ડમાં ધંધો કરતા સૂચક બંધુઓએ એકસાથે જિંદગી ટૂંકાવી લેતા ખળભળાટ

મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડમાં બે સગાભાઈઓ વિષપાન કરી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આર્થિકભીંસ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારનાં કહેવા મુજબ બંને ભાઈઓને કોઈ પ્રકારનું દુઃખ કે કોઈ સાથે અણબનાવ નહોતો. હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.


રાજકોટ બેડી યાર્ડમાં આજે બપોરના અરસામાં સુખી સપ્પન પરિવારના બે સગાભાઈઓ ઝેર પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે.પરિવારજનો ના મામલે જણાવ્યા પ્રમાણે પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. હવે બંને ભાઈઓએ શા માટે અંતિમ પગલું ઉઠાવ્યું છે.તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે.


પોલીસ તપાસમાં જાણવા મળ્યા અનુસાર ગુંદાવાડી મેઈન રોડ પર જલારામ મેડિકલ સ્ટોર ધરાવતા યતીનભાઈ કિશોરભાઈ સૂચક અને બેડી માર્કેટિંગ યાર્ડમાં 243 નંબરની પેઢી ધરાવતા વિપુલભાઈ સૂચકે બપોરના સમયે એકાદ વાગ્યે શટર બંધ કરી કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

First published:

Tags: આપઘાત, ગુજરાતી સમાચાર, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો