ગુજરાતમાં પહેલા તબક્કાનો પ્રચાર પુરો થતા પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર ઘણાં હુમલા થયા છે. રાજકોટમાં મનમોહન સિંહે કહ્યું કે નોટબંધીનું જે બેઝિક હેતુ હતો તે નિષ્ફળ થયો છે. ભ્રષ્ટાચાર અત્યારે પણ થઈ રહ્યો છે. મનમોહનસિંહે માંગ કરી છે કે નોટબંધી સાથે જોડાયેલ દસ્તાવેજ સંસદ અને જનતાની સામે મુકવા જોઈએ.
પૂર્વ પીએમે સીધા પીએમ મોદી પર નિશાનો કરતાં કહ્યું કે નોટબંધી પછી જીએસટીથી વેપારીઓને નુકશાન થયું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગુજરાતના છે, મોદીજીએ ગુજરાતના વેપારીઓ અને લોકોને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે આજે સરકારની જે વિદેશ નીતિ છે તેનાથી દેશની સુરક્ષા ખતરામાં છે. મોદી સરકારના કેટલાક એવા નિર્ણયો છે ક જેમાં દેશનું હિત નથી.
Modiji says he took up Narmada issue with me but I don't remember him talking to me about this issue, though whenever he wanted to meet me I never refused,was always ready as being PM it was my responsibility to meet all CMs: Dr.Manmohan Singh pic.twitter.com/0dUqcmRDf5
મનમોહન સિંહે કહ્યું કે અમારા કાર્યકાળમાં જ્યારે ભ્રષ્ટાચાર પર કોઈ ફરિયાદ આવી તો અમે તેની પર તરત જ એક્શન લીધી હતી. પરંતુ જ્યારે એનડીએ દરમિયાન આવું થયું તો કોઈ એક્શન લેવાઈ નથી. તેમણે કહ્યું કે બીજેપી અધ્યક્ષના છોકરાના મામલામાં પણ કોઈ એક્શન લીધી નથી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ નર્મદાના મુદ્દા પર ક્યારેય મારી સાથે મુલાકાત કરી ન હતી.
Our national security has been hurt by the inconsistent foreign policies of this Government, some steps taken by Modi Govt were not in the best interest of the country: Dr.Manmohan Singh pic.twitter.com/mgMM0TvqS7
અર્થવ્યવસ્થાના મુદ્દા પર મનમોહન સિંહે કહ્યું કે જો મોદી સરકારને યુપીએના 10 વર્ષના કાર્યકાળમાં આશરે આર્થિક ગ્રોથની બરોબરી કરવી હોય તો પોતાના કાર્યકાળમાં પાંચમા વર્ષે ન્યૂન્તમ 10.6 ટકાની ગ્રોથ રેટ હોવી જોઈએ. મને ખુશી થસે જો આવું થાય તો. પરંતુ મને આવું કાંઈ થતું હોય તેવું દેખાતું નથી.
નોંધનીય છે કે ગુજરાતમાં પહેલા ચરણનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ થઈ જશે. આ પહેલા બંન્ને બાજુથી તીખા હુમલા થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર