Home /News /kutchh-saurastra /Morbi : વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ન ભરવાનું પગલુ ભર્યુ, ચાલતા ટ્રેક્ટર સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Morbi : વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ન ભરવાનું પગલુ ભર્યુ, ચાલતા ટ્રેક્ટર સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

ખેડૂતે ટ્રેક્ટરની આડે પડતું મૂકી આપઘાત કર્યો

કેટલાંક વ્યાજખોરો દ્વારા મારી નાંખવાની ધમકી મળતી હોવાથી ખેડૂતે કંટાળીને ખેતરમાં ચાલતા ટ્રેક્ટર હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.

મોરબી : હળવદના માલણીયાદ ગામની એક હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગામના એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. કેટલાંક વ્યાજખોરો દ્વારા મારી નાંખવાની ધમકી મળતી હોવાથી ખેડૂતે કંટાળીને ખેતરમાં ચાલતા ટ્રેક્ટર હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.

શું છે સમગ્ર મામલો


હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ખેડૂતે ટ્રેક્ટરની આડે પડતું મૂકી આપઘાત કર્યો હતો. તાલુકા પોલીસને મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં નવ વ્યાજખોરો દ્વારા તેના જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :  Rajkot : રાજકોટમાં રખડતા ઢોરનો આતંક યથાવત, બે મહિલા પોલીસને ગાયે ઢીંકે ચડાવી



21 ડિસેમ્બરના રોજ જયંતીભાઈ જીવણભાઈ દલવાડી (ઉ.વ.૫૬) વાળાએ ખેતરમાં ચાલતા ટ્રેકટર હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો. ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું. સુસાઇડ નોટ માં લાલો બુલેટના ગેરેજ વાળો,છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ,ભરતસિંહ નાડોદા રાજપૂત (ક્રોસ રોડ),ડો.પી.પી.(માલનીયાદ),અશ્વિન રબારી(ધ્રાંગધ્રા),પટેલ ધીરુભાઈ નાનજીભાઈ (નિકોલ,અમદાવાદ),મહિપતસિંહ મૂળી વાળાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  આંગડિયા પેઢીમાંથી 10 લાખ લઈને જવું વેપારીને ભારે પડ્યું, શુ કાંડ કર્યો બે ગઠિયાઓએ?

આ નવ શખ્સો ખેડૂતને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હતા અને ઘરમાં કોઈ કલેશ ન હોવાની વાત પણ સુસાઇડ નોટ માં જણાવી હતી. જોકે તપાસ દરમિયાન પરિજનોએ બે દિવસ બાદ પોલીસને દેણા બાબતે જણાવતા પોલીસે સુસાઈડ લખાણની ખરાઇ કરવા નોટ એફ એસ એલમાં મોકલી છે. એફએસએલ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
First published:

Tags: Commit suicide, Gujarat Farmer Suicide, Morbi

विज्ञापन