કચ્છ: કોરોના મહામારીમાં દેશભરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં જ સરકાર દ્વારા આ મૃતકોના પરિવારોને સહાય આપવાની માંગણી સ્વીકારવામાં આવી છે. આ સંદર્ભે કચ્છ જિલ્લામાં અરજીઓ કરવાની શરૂઆત થઈ ગઈ છે. મામલતદાર કચેરી ખાતે અનેક લોકો અરજીપત્રક ભરી સહાય માટેની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. કોરોના મૃતકોના સરકારી આંકડા પ્રમાણે 282 મોત નોંધાયા છે જ્યારે કે અત્યાર સુધીમાં 350થી વધારે લોકોએ અરજી કરેલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર