કચ્છઃ તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક કાર્યક્રમ દરમ્યાન દેશની આઝાદીને ભીખમાં મળેલી આઝાદી તરીકે ગણાવી હતી. ત્યારબાદ અનેક લોકોએ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવા પોલીસ તેમજ કલેકટર સમક્ષ માંગ કરાઈ હતી.
પૂર્વ કચ્છના ગાગોદર હાઇવે પાસે બેકાબૂ ટ્રકે હાઇવેથી 50 ફીટ દૂર ઘસડાઈ એક શખ્સને કચડતા મોત નિપજ્યું હતું. ઘેટા ચલાવતા ભરવાડ પિતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. પણ ચમત્કારિક રીતે ૧૦ વર્ષીય પુત્રનો બચાવ થયો હતો.