લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ ક્ક્ષાએ જવું ના પડે તે માટે સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન
લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ ક્ક્ષાએ જવું ના પડે તે માટે સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન
રાજકોટ ન્યાયમંદિરની ફાઈલ તસવીર
નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે ચાલુ માર્ચ માસના ચોથા ગુરુવાર 28/04/2022ના રોજ કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.
જામનગર: જિલ્લા કક્ષાના પ્રશ્નો, લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ ક્ક્ષાએ, ગાંધીનગર સુધી જવું ના પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવનાર છે. નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે ચાલુ માર્ચ માસના ચોથા ગુરુવાર 28/04/2022ના રોજ કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં રજૂ કરવાના જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો તારીખ 10/04/2022 સુધીમાં કલેકટર કચેરી, જામનગર ખાતે રજૂ કરવાના રહેશે. લોકોએ પોતાના પડતર પ્રશ્નો મોકલવા માટે ખાસ ખ્યાલ રાખવો કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું, બે નકલમાં આ બાબત રજૂ કરવી. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પ્રશ્ન કર્તા કે અરજદારની સહીનો ખાસ ઉલ્લેખ કરવો. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.
જામનગર કલેકટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 10/04/2022 બાદની અરજી કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/ વિભાગના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ-સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી કોર્ટમેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહીં જેની અરજદારોએ ખાસ નોંધ લેવી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર