Home /News /kutchh-saurastra /Arvind Kejriwal in Saurashtra: અરવિંદ કેજરીવાલે સોમનાથા દાદાના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓ માટે જાહેર કરી આ 5 ગેરંટી

Arvind Kejriwal in Saurashtra: અરવિંદ કેજરીવાલે સોમનાથા દાદાના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓ માટે જાહેર કરી આ 5 ગેરંટી

અરવિંદ કેજરીવાલે સોમનાથ દાદાના દર્શન કર્યા.

Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 'ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા, પરંતુ તેમા એક તરફી ભાષણ હશે, આપણે કરીએ છીએ બેતરફી વાત ક્યારેય નહીં કરી હોય. આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટિલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે.

વધુ જુઓ ...
રાજકોટ : રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. હાલ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે. તેઓએ આજે સોમનાથ મહાદેવના દર્શન (Somnatha Mahadev darshan) કર્યા હતા.

બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક પણ કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, 'ભાજપે એવો માહોલ ઊભો કર્યો છે કે, વેપારી ચોર છે, જ્યારે હકીકતમાં વેપારીઓ ઇમાનદારીથી ટેક્સ ભરવા માંગે છે. 2015માં દિલ્હીનું બજેટ 30,000 કરોડ હતું, 7 વર્ષ પછી તે 75,000 કરોડ થયું છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા જ ટેક્સ ભરવામાં આવતો હતો.વેપારીઓ પર વિશ્વાસ કરતા શીખો.'


કેજરીવાલનો ભાજપ પર કટાક્ષ

અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 'ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા, પરંતુ તેમા એક તરફી ભાષણ હશે, આપણે કરીએ છીએ બેતરફી વાત ક્યારેય નહીં કરી હોય. આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટિલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે. તો મને લાગે છે કે, તમારી બે ચાર વાતો પર તો થોડા દિવસમાં જ અમલ થઇ જ જશે.'

અરવિંદ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને 5 ગેરંટી આપી હતી. જે નીચે પ્રમાણે છે.
1. ડરનો માહોલ પૂર્ણ કરી દેવામાં આવશે, નીડરતાની સાથે વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે.
2. વેપારીઓને સન્માન આપવામાં આવશે, સરકારી કચેરીઓમાં તેનું સન્માન કરવામાં આવશે.
3. ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવામાં આવશે.
4. ટેક્ષના 6 માસ જૂના રિફંડ અપાવીશું, ટેક્ષમાં સરળીકરણ લાવીશું.
5. સરકાર પોતાના ભાગીદાર તરીકે વેપારીઓને સંમલિત કરશે.



તેમણે વધુમાં જણાવ્યુ કે, સુરતમાં વેપારીઓએ મને બોલાવ્યો હતો. કાર્યક્રમના એક દિવસ પહેલા આયોજકોએ કહ્યું અમને ધમકી મળી રહી છે. અમારું હોલનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. તેમણે વધુમા કહ્યુ કે, દિલ્હીમાં પ્રોફેશનલ ટેક્ષ લેવામાં નથી આવતો MSME વેપાર જગતની કરોડ રજ્જૂ છે.
First published:

Tags: Gujarat Politics, અરવિંદ કેજરીવાલ, ગીર સોમનાથ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો