Home /News /kutchh-saurastra /ખંભાળિયામાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, ત્રણ લોકોની કરાઈ ધરપકડ
ખંભાળિયામાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, ત્રણ લોકોની કરાઈ ધરપકડ
વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ
Khambhalia police: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ છે તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની ખૂબ જ સરહાનીય કામગીરી સામે આવી હતી.
મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: સમગ્ર ગુજરાતમાં હાલ જ્યારે વ્યાજખોરોના ચંગુલમાંથી લોકોને મુક્ત કરવા માટે એક ખાસ અભિયાન રાજ્યની સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અનુસંધાને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ આ અભિયાન અંતર્ગત ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો પર કાર્યવાહી હાથ ધરી હતી. 2 અલગ- અલગ કેસમાં ત્રણ લોકોને ધરપકડ કરી વ્યાજના ચંગુલમાંથી ગરીબ જનતાને મુક્ત કરાવવાની પહેલ કરી હતી.
વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
આ બાબતે જણાવવામાં આવે તો પ્રથમ કેસમાં ખંભાળિયાના અશોક કછાટિયા નામના વ્યક્તિને ધંધાર્થે પૈસાની જરૂર પડતાં તેમના દ્વારા ખંભાળિયા વિસ્તારના વિનાયક સોસાયટીમાં રહેતા હમીર જોધા ચાવડા તેમજ તેમના પુત્ર અર્જુન હમીર ચાવડા પાસેથી 2008ની સાલમાં રૂપિયા 7,50,000 રૂપિયા લીધેલ હોય તે રકમના બદલામાં આ કામના આરોપી હમીર જોધા ચાવડા તેમજ અર્જુન હમીર ચાવડાએ ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી દબાવી રૂપિયા 7,50,000 મૂળ રકમના બદલામાં કટકે કટકે એક કરોડ ₹ 1,15,25,000 જેટલી મતદાર રકમ વસૂલી તેમ છતાં પણ આ વ્યાજખોરોનો આંતક ઓછો થયેલ ના હતો.
ઉલ્લેખનીય છે કે, આ કામના ફરિયાદીયાના બોકસાઈટ પ્લાન્ટમાં પોતાનો હિસ્સો લખાવી લીધેલ ત્યારબાદ પણ આ વ્યાજખોર હમીર જોધા અને અર્જુન હમીર બનેએ આ કામના ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ખાતાના 11 ચેક જેમાં કોઈપણ જાતની રકમ લખ્યા વગર સહી કરાવી લીધા હતા. ત્યારબાદ અન્ય બે ચેકોમાં પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને લઈ લીધા હતા. અને ધમકીઓ પણ આપી હતી. આખરે અશોક કછટીયાએ દ્વારકા જિલ્લા પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતા ખંભાળિયાના પીઆઈ ડી.બી. ઝાલાએ ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરી કલાકમાં જ આ વ્યાજખોર બંને બાપ દીકરાને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
આ સાથે સાથે આવી જ અન્ય બીજી ઘટનાની વાત જણાવીએ તો બીજી ઘટનામાં ખંભાળિયાની મહિલા નામે રેશમાં સુંભનીયા પોતાની પાસે કોઈ પણ જાતનું વ્યાજના ધીરવાનું કોઈ લાયસન્સ ન હોય તેમ છતાં પણ ગરીબ વ્યક્તિને 1,75,000 મોટા વ્યાજે આપી તેમની પાસેથી અલગ અલગ રીતે 1,20,000 વસૂલ્યા બાદ તેમની માલિકીનું મકાન ધમકી આપી બળજબરીથી પોતાના નામે કરાવી લીધું હતું. ગરીબ માણસને રોડ ઉપર ભટકવા મજબૂર કરતા સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઇ.ઝાલા પાસે પહોંચતા પીઆઇ ડી.બી. ઝાલાની ટીમ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી આરોપી પઠાણી વ્યાજ ઉઘરાવનાર મહિલા રેશ્માબેન સલેમામાદ સુંભાનીયાની અટક કરી જેલમાં ધકેલી દેવામાં આવી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર