Home /News /kutchh-saurastra /'સાગર'થી સાવધાન: રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ, સમુદ્ર ન ખેડવા સૂચના

'સાગર'થી સાવધાન: રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ, સમુદ્ર ન ખેડવા સૂચના

ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેથી માછીમારોને આગામી 48 કલાક ગલ્ફ ઓફ એડન,પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં નહીવત અસર જોવા મળશે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

જામનગર
જામનગરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો સમુદ્ર નજીક ન જાય તેવી સૂચના આપવામાં આવી છે.

જાણો છો કેવી રીતે પડે છે દરિયામાં ઉઠતા તોફાનોના નામ? છે મજેદાર જાણકારી

અમરેલી
અમરેલીના જાફરબાદ બંદર પર 2 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. દરીયામાં પવનની ઝડપ વધવાની સંભાવનાના કારણે આ સિગ્નવ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ ફિશરીજ વિભાગ દ્વારા તકેદારી રાખવા બંદર વિસ્તાર એલર્ટ કરવામાં આવ્યો છે.

'સાગર'થી એલર્ટ થવાનાં અલગ અલગ 10 સિગ્નલ, જાણી લો એક ક્લિક પર

દ્વારકા
દ્વારકાના ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

પોરબંદર
પોરબંદર બંદર પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
First published:

Tags: Dwarka, Jamanagar, Porbandar, અમરેલી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો