Veraval Video: નજરે જોનારા લોકોનું કહેવુ છે કે, સરઘસમા સામેલ લોકો જોર જોરથી ગુસ્તાખ એ નબી કી એક હી સજા. સર તન સે જુદા... ના નારા લગાવી રહ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના એક નેતાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરી તેમને હિન્દુ ધર્મ વિરોધી ગણાવ્યા તો બીજી બાજુ પીએમ મોદી વિરૂદ્ધ એલફેલ બોલનાર ગોપાલ ઇટાલીયાએ પોતે પટેલ હોવાનું ગણાવી જાતિ વિષયક રાજનીતિનો દાવ ખેલી લીધો ત્યારે હવે ગુજરાતની શાંતિ પર વિરોધીઓનો ડોળો હોય તેવી ઘટના સામે આવી ચે.
રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેમ હિન્દુ મુસ્લિમને લડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. જેને લઇ વેરાવળના ઉનામાં વેરાવળમાં તંગદિલી સર્જાઈ હતી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે, ફરી એકવાર મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ ગુજરાતમાં અશાંતિ ફેલાય તે પ્રકારની રેલી કાઢી છે.
ગીરસોમનાથના ઉના શહેરનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઈદની ઉજવણી નિમિત્તે ઉનાની મુખ્ય બજારમાં મુસ્લિમ સમાજનું ઝુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો ફ્લેગ સાથે જોડાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, શાંતિથી ઉનાની બજારમાં ઝુલુસ પસાર થઈ રહ્યું છે ત્યારે જ અચાનક કેટલાક તોફાની યુવાનો નારા લગાવી રહ્યા છે. સર તન સે જુદાના નારા લગાવી માહોલને બગાડવો પ્રયાસ કરી રહ્યા છે. ઉનાના ટાવર ચોકમાં રાત્રી દરમિયાન મુસ્લિમ યુવાનોએ સર તનથી જુદાના નારા લગાવ્યા હતા. જે કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો.
નજરે જોનારા લોકોનું કહેવુ છે કે, સરઘસમા સામેલ લોકો જોર જોરથી ગુસ્તાખ એ નબી કી એક હી સજા. સર તન સે જુદા... ના નારા લગાવી રહ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગામમાં અશાંતિનો માહોલ ન ફેલાઈ તે માટે હિન્દુ-મુસ્લિમ સમાજ સાથે બેઠક કરી અને મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું. પોલીસે બન્ને સમુદાયના આગેવાનોને શાંતિ જાળવવા મદદરૂપ થવા અપીલ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર