બોટાદમાં સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વીજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આ યોજના છેવાડાના ગામડા સુધી પાણી પહોચાડવાની યોજના છે. આપણી સરકાર ગામડાની સરકાર છે. આ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. વર્ષો સુધી ખેડૂતોએ દુષ્કાળ જોયો છે.
સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ સોનાનો દિવસ છે. ભાજપ માને છે કે ખેડૂત સુખી તો ગામડું સુખી રહે છે.સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે બોટાદમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયું છે.
સીએમ વિજય રૂપાણીનું સંબોધન
બોટાદમાં સીએમ વિજય રૂપાણીનું સભાને સંબોધન
સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ સોનાનો દિવસઃ સીએમ રૂપાણી
વર્ષો સુધી ખેડૂતોએ દુષ્કાળ જોયોઃ સીએમ રૂપાણી
'આપણી સરકાર ખેડૂતો અને ગામડાઓની સરકાર'
આ સરકારે ખેડૂતોની ચિંતા કરી છેઃ સીએમ રૂપાણી
'ખેડૂત સુખી તો ગામડું સુખીઃ સીએમ રૂપાણી
ભાજપના કાર્યકર્તા માટે બોટાદ તિર્થક્ષેત્રઃપીએમ મોદી
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ આજે સાંજે 5-30 કલાકે બોટાદમાં સૌની યોજનાની લીંક-2ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. કેમ છો કહી સંબોધનની શરૂઆત કરી હતી. બોટાદમાં જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યુ હતું કે,ભાજપના કાર્યકર્તા માટે બોટાદ તિર્થક્ષેત્ર છે. મોદીએ ઇતિહાસ વાગોળતા કહ્યું કે, શરૂઆતમાં જનસંઘની કોઇ ઓળખ ન હતી. 1967માં બોટાદમાં જનસંઘનો પાયો નંખાયો હતો. બોટાદમાં જનસંઘની સૌથી પહેલી પાલિકા બની હતી.દરેક હાથને કામ,દરેક ખેતરને પાણી આપવું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: બોટાદ, સૌની યોજના