Home /News /kutchh-saurastra /બોટાદ કેમિકલ કાંડમાં એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત 4 લોકો IPS નિર્લિપ્ત રોય સામે હાજર ન થયા

બોટાદ કેમિકલ કાંડમાં એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત 4 લોકો IPS નિર્લિપ્ત રોય સામે હાજર ન થયા

એમોસ કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યા હતા.

આ મામલે આઇપીએસ અધિકારી દ્વારા નિવેદન લેવા માટે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત 4 લોકોને સોમવારે બરવાળા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા.

બોટાદ (Botad)ના અલગ-અલગ બે તાલુકામાં કેમિકલ કાંડ  (botad chemical scandal) બનતા દોડધામ મચી ગઈ હતી. આ કેમિકલ કાંડમાં કુલ 49 લોકોના મોત થયા છે ત્યારે પચાસથી વધુ લોકોને કેમિકલ કાંડ (chemical scandal)ની અસર થઈ છે. મહત્ત્વનું છે કે આ મામલે કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેમાં અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો એમોસ કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યા હતા. જેથી આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ કેમિકલ કાંડની તપાસ આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રોયને સોંપવામાં આવતા જ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો- વલસાડમાં ટ્રેક પર જ બંધ પડી મુસાફરો ભરેલી બસ અને અચાનક એકપ્રેસ ટ્રેન આવી

આ મામલે આઇપીએસ અધિકારી દ્વારા નિવેદન લેવા માટે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત 4 લોકોને સોમવારે બરવાળા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ હાજર થયા ના હતા. જેથી આ તમામ લોકોને ફરી નિવેદન માટે બોલાવવામાં આવી શકે છે અને એ લોકો હાજર નહીં થાય તો આગળ કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પણ વાંચો- જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત

જોકે ટેકનિકલી 3 વાર નોટિસ આપવામાં આવે છે. હવે આ મામલે વધુ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. મહત્ત્વની વાત એ છે કે કેમિકલ કાંડ બાદ પણ રાજ્યમાં જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે માટે તમામ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે કમિટીની જે રચના કરવામાં આવી હતી તેમનો રિપોર્ટ તો સોંપી દેવાયો છે ત્યારે હવે તપાસ અધિકારીની તપાસમાં કોની શું ભૂમિકા છે તે સ્પષ્ટ થઈ જશે.
Published by:rakesh parmar
First published:

Tags: Botad, Gujarati news, બોટાદ