Home /News /junagadh /ભવનાથ વધુ પવિત્ર અને આધ્યાત્મિક બને, એ માટે જાગૃત નાગરિકે માંગી ખાસ મંજૂરી!

ભવનાથ વધુ પવિત્ર અને આધ્યાત્મિક બને, એ માટે જાગૃત નાગરિકે માંગી ખાસ મંજૂરી!

X
Bhavnath

Bhavnath Road

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રનું વાતાવરણ વધુ આધ્યાત્મિક અને પવિત્ર બને એ માટે જાગૃત નાગરિક દ્વારા તંત્રને મંજૂરી આપવા બાબતે પત્ર પાઠવવામાં આવ્યો, જુઓ વિગતો

ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનો (Bhavnath Girnar) સમાવેશ મહત્વના યાત્રાધામમાં (Pilgrimage) કરવામાં આવે છે, દિનપ્રતિદિન જૂનાગઢનું પ્રવાસન ક્ષેત્ર (Gujarat Tourism) પણ વિકાસ પામી રહ્યું છે, ત્યારે જૂનાગઢના ભવનાથ વિસ્તારનું વાતાવરણ પણ બદ્રીનાથ, કેદારનાથ કે દ્વારિકા જેવું સંગીતમય અને પવિત્ર બને એ માટે જૂનાગઢના જાગૃત નાગરિક જયેશભાઈ દોશી દ્વારા મહાનગરપાલિકાના (JMC) કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો-સુરતથી રાજકોટ એક્સપોર્ટ થતુ હતું અમુલ અને ગોપાલ બ્રાન્ડનું નકલી ઘી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો ઘોટાળો

જે પત્રમાં રજૂઆતના રૂપે થયેલાં ઉલ્લેખ વિશે વાત કરતાં જયેશભાઈ દોશીએ જણાવ્યું કે, હાલમાં જૂનાગઢ એક પવિત્ર યાત્રાધામ તરીકે ખુબજ વિકાસ પામી રહ્યું છે, ત્યારે ભવનાથ વિસ્તારની અંદર ગિરનાર દરવાજા થી લઈને ભવનાથ તળેટી સુધીના વિસ્તારમાં જેટલાં પણ પોલ આવેલા છે, તેમના ઉપર સ્પીકર સર્કિટ લગાવવાની રજુઆત કરી છે. જે સ્પીકર દ્વારા દિવસભર સંગીતમય મંત્રોચ્ચાર થશે અને ધાર્મિક વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેનાથી લોકોનું મન શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરે તે માટે આ પહેલ કરવાની વાત મૂકી છે.

આ પણ વાંચો-ભાજપ ગૌમાતાનાં નામે વોટ લે છે પછી ગૌમાતાને ન પકડવા હપ્તા ઉઘરાવે છે'- કોંગ્રેસી નેતા કમળાબેનનાં આક્ષેપ

જૂનાગઢ આવતાં પ્રવાસીઓ માટે આ સિસ્ટમ એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રને એક નવું નજરાણું મળશે. તિરુપતિ બાલાજી, દ્વારિકા, બદ્રીનાથ, કેદારનાથ વગેરે યાત્રાધામોમાં પણ આવી રીતે સ્પીકર્સ લગાવવામાં આવ્યાં છે, ત્યારે જૂનાગઢમાં પણ જો આવી વ્યવસ્થા થશે તો ચોક્કસથી સૌ કોઈ માટે ફાયદાકારક નીવડશે.

આ પણ વાંચો-ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ઝડપથી ટિકિટ બુક કરવી લો, દિવાળી પહેલા જ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ

વધુમાં જયેશભાઈએ મહત્વની વાત કરતાં કહ્યું કે, ભવનાથ વિસ્તારમાં સ્પીકર્સ સર્કિટ સિસ્ટમ લગાવવા પાછળ જે કઈ ખર્ચ થશે તે તેઓના સ્વખર્ચે લગાવવામાં આવશે. સિસ્ટમ લગાવવામાં અને ભવિષ્યમાં રીપેરીંગનો કોઈપણ ખર્ચ થશે તે માટે તેઓ તૈયાર છે, માટે કોર્પોરેશન ઉપર કોઈપણ જાતનું ભારણ રહેવાનું નથી. જો સ્પીકર્સ સિસ્ટમ લગાવવાની મંજૂરી મળશે, તો ભવિષ્યમાં આ સિસ્ટમનો સરકારી તંત્ર પણ ઉપયોગ કરી શકશે. જૂનાગઢના વિકાસ માટે લેવા યોગ્ય આ પહેલ માટે તંત્ર વહેલાસર મંજૂરી આપે તે માટે જયેશભાઈ દોશી અપેક્ષા કરી રહ્યાં છે.
First published:

Tags: Bhavnath, Girnar, Gujarat Tourism, Tourist