Home /News /junagadh /STકર્મીઓએ સ્વર્ગસ્થ પ્રમુખને આપી અનોખી શ્રદ્ધાંજલિ, સ્ટેશનમાં 100 જેટલાં વૃક્ષો વાવી બગીચો બનાવ્યો

STકર્મીઓએ સ્વર્ગસ્થ પ્રમુખને આપી અનોખી શ્રદ્ધાંજલિ, સ્ટેશનમાં 100 જેટલાં વૃક્ષો વાવી બગીચો બનાવ્યો

X
ST

ST workers plant about 100 trees

જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશનમાં 100 જેટલા વૃક્ષો વાવીને સ્વર્ગસ્થ એસ.ટી.કર્મચારી મંડળના પ્રમુખને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...

Junagadh News: જૂનાગઢ એસ.ટી.કર્મચારી મંડળ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ ડેપો (Junagadh ST) ખાતે જૂનાગઢ બસ સ્ટેશનની પાછળ ખાલી પડેલ જગ્યામાં લોકો કચરો (Waste) ફેંકતા હતા, જેને હિસાબે ભારે ગંદકી થતી હતી. એ જગ્યાને વ્યવસ્થિત રીતે સાફ કરીને, એસ.ટી.કર્મચારીઓ દ્વારા અહીં બગીચાનું (Garden) નિર્માણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ; જૂનાગઢ એસ.ટી.કર્મચારી મંડળના આગેવાનો તથા સભ્યો દ્વારા એસ.ટી.કર્મચારી મહામંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહિલની યાદમાં એક શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો. આ શ્રમયજ્ઞના ભાગરૂપે જૂનાગઢ એસ.ટી.ડેપોના કર્મચારીઓ, આગેવાનો તથા સભ્યો દ્વારા બસ સ્ટેશન પાછળ ખાલી પડેલ જગ્યામાં થયેલી ગંદકીને હટાવવામાં આવી.

આ પણ વાંચો: અમદાવાદના પહેલા Omicron દર્દીને સારવાર બાદ રજા અપાઈ, જાણો 13 દિવસમાં શું કર્યું?

જે પછી એસ.ટી.કર્મચારી મહામંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહિલની યાદમાં શ્રમયજ્ઞ કરીને ખાલી પડેલી જગ્યામાં અંદાજે 100 જેટલાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને સુંદર બગીચો બનાવવામાં આવ્યો. જેમાં 50 થી વધારે ફૂલછોડ કુંડામાં વાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બગીચા ફરતે રેલીંગ કરવામાં આવી છે, જેથી બગીચાની સુરક્ષા જળવાઈ રહે. બગીચાની સુંદરતામાં વધારો કરવા દિવાલો પર પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બગીચામાં એક ચબૂતરો પણ મુકવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ? BCCIને કમિટીએ સોંપ્યો છે આ 'રિપોર્ટ'

આ શ્રમયજ્ઞમાં જૂનાગઢ એસ.ટી.ડેપોના મેનેજર વિપુલભાઈ ચૌધરી તથા કર્મચારીઓમાં નરેન્દ્રભાઈ ગઢવી, વલ્લભભાઈ ભાદરકા, દેવકુભાઈ સિંધવ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્ય પૂરું પાડ્યું છે.
First published:

Tags: GSRTC, Junagadh news, Tree plantation, જૂનાગઢ

विज्ञापन