જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લાવવામાં આવી છે.એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘની લાવવામાં આવી છે. આગામી દિવસોમાં વાઘ લોકો નિહાળી શકશે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ હોય તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, અંદાજે 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયથી સિંહની જોડીને મુંબઈમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. અને ત્યાંથી વાઘની જોડી લાવવામાં આવી છે. હાલ વાઘની જોડીને કવોરંટીન રાખવામાં આવી છે.તેમનો કવોરંટીન પિરિયડ પૂરો થયા બાદ લોકો વાઘ નિહાળવા શકશે.
વાઘની ઉંમર 6 વર્ષની,વાઘણની ઉંમર 4 વર્ષની
એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી 2.5 વર્ષના સિંહ અને 2 વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઇમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી વાઘની જોડીને લાવવામાં આવી છે. આમાં વાઘની ઉંમર 6 વર્ષની છે, જ્યારે વાઘણની ઉંમર 4 વર્ષની છે.
મેટિંગ સમયે રાખવું પડે છે ધ્યાન
સામાન્ય રીતે વાઘ મેટીંગ સમયે ખૂબ જ આક્રમક મૂડમાં આવી જતું હોય છે. ત્યારે વાઘની લાવવામાં આવેલી આ જોડીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. જ્યારે વાઘણ પૂર્ણ રૂપથી મિટિંગ માટે તૈયાર થઈ જાય ત્યારબાદ જ વાઘને વાઘણની પાસે મોકલવામાં આવશે, કારણ કે જ્યારે કોઈપણ વાઘણ વાઘને મેટીંગ માટે ઇનકાર કરે છે ત્યારે વાઘ દ્વારા વાઘણની ગરદન પકડીને મોત નીપજાવી દેવામાં આવે છે.ત્યારે ભવિષ્યમાં વાઘની આ જોડી મેટિંગ સમયે આવું ન થાય તે બાબતે હાલમાં સક્કરબાગ ઝૂ ખૂબ જ સતર્ક છે અને આવનારા સમયમાં આ બાબતે પૂરતું ધ્યાન રાખવામાં આવશે,તેમ ઝૂના આરએફઓ નિરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું.