Home /News /junagadh /Junagadh: મહાનગર પાલિકામાં આગ લાગે ત્યારે ખાડો ખોદવા દોડવું પડે તેવો ઘાટ

Junagadh: મહાનગર પાલિકામાં આગ લાગે ત્યારે ખાડો ખોદવા દોડવું પડે તેવો ઘાટ

જૂનાગઢમાં મહાનગરપાલિકા ફાયર સેફ્ટીની બાબતમાં નીરસ જોવા મળી

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. 4 ડિસેમ્બરે ફાયરના બોટલાની તારીખ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આજ સુધી બોટલાને રિફિલ કરવામાં આવ્યા નથી.

Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં મહાનગરપાલિકા ફાયર સેફ્ટીની બાબતમાં નીરસ જોવા મળી રહી છે. 4 ડિસેમ્બરે ફાયર સેફ્ટીની બોટલ પૂરી થઈ ગઈ છે.આજે 19 ડિસેમ્બર થઈ છે, 15 દિવસના વીતી ગયા હોવા છતાં મનપાને ધ્યાનના પર આ બાબત આવી નથી. આ જ ઘટના ગયા વર્ષે પણ જોવા મળી હતી.

15 દિવસમાં પણ સમય ન મળ્યો ??


આ સમગ્ર બાબતે જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીની કામગીરી ને લીધે આ કામગીરી થઇ શકી નથી. સંબંધિત અધિકાર ને જાણ કરી દેવામાં આવી છે.



પરંતુ સવાલ એ ઉઠે છે કે,ફાયર સેફ્ટીતે આવશ્યક સેવામાં આવે છે. જેથી આટલા દિવસોમાં કોઈને આ કામગીરી ધ્યાને કેમ ન આવી તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે.



શું કહે છે વિપક્ષ


આ અંગે કોંગી કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું હતું કે,દર વખતે જવાબદાર લોકોને બચાવી લેવામાં આવે છે. ગયા વર્ષે પણ આ બોટલો રીન્યુ કરવામાં નીરસતા રહી હતી અને આ વર્ષે પણ આ સમસ્યા યથાવત છે જલ્દીથી કામ થાય તે જરૂરી છે.

First published:

Tags: Commissioner, Junagadh news, Local 18