મંદિર નો ઇતિહાસ છે ઘણો જૂનો
મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ પર આવેલું છે. સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. અનેક લોકવાયકાઓ અને વાસ્તવિકતા સાથે મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. ભગવાનને અનોખો શણગાર જોઈ ભક્તો અભિભૂત થઈ ગયા હતા. ભગવાનને આવો શણગાર દર વર્ષે કરવામાં આવે છે.
ભગવાનને સ્કૂલ માટે શા માટે તૈયાર કરાયા
અહીંના કોઠારી સ્વામીજીનું જણાવ્યું હતું કે, બાળક જ્યારે સ્કૂલે જાય ત્યારે તેને ઠંડીથી બચવા માટે સ્વેટર અને ઉનના વસ્ત્રો પહેરાવવામાં આવે છે,એ જ રીતે ભગવાનને પણ ઠંડી લાગે છે. જેથી તેમને ઠંડીથી બચાવવા માટે આ શણગાર કરાયો છે. આ સાથે બાળકને રમવા માટે રમકડાની જેમ જરૂર પડે તે રીતે ભગવાનને પણ રમવા માટે રમકડા પણ મૂકવામાં આવ્યા છે. ધનુર માસનો પ્રારંભ એટલે કે કમુરતાનો પણ સાથે પ્રારંભ થાય છે. કમુરતાના સમયમાં કોઈપણ શુભ કાર્ય હાથ ધરવામાં આવતું નથી, જેથી ધનુર માસના પ્રારંભ પ્રસંગે ભગવાનને આ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Junagadha, Local 18, Swaminarayan