Home /News /junagadh /Junagadh :પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિહાળી છાત્રો અભિભૂત થયા

Junagadh :પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિહાળી છાત્રો અભિભૂત થયા

X
કાર્યક્રમનું

કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળતા વિદ્યાર્થીઓ

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું જૂનાગઢના છાત્રોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં 1000 થી વધુ છાત્રો જોડ્યા હતા. તેમજ આગામી દિવસોમાં અમદાવાદ સેવા આપવા જશે.

Ashish Parmar. Junagadh : અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે પીએમ મોદીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જૂનાગઢના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીના પ્રોટોકોલના લીધે આમંત્રિત સંતો અને મહેમાનોને જ ઉપસ્થિત રહેવાનું હોય અનેક વિદ્યાર્થીઓ અને સંતો ત્યાં પહોંચી શક્યા ન હોતા જેથી સમગ્ર કાર્યક્રમને જિલ્લામાં બીએપીએસ સંસ્થાના વિદ્યાર્થીઓએ સીધુ પ્રસારણ નિહાળ્યું હતું.



1000 થી વધુ વિદ્યાર્થીઓ કરે છે સંસ્થામાં અભ્યાસ

જૂનાગઢ બીએપીએસની સ્કૂલિંગ સિસ્ટમ ચાલુ વર્ષથી જ શરૂ કરવામાં આવી છે. ત્યારે પહેલા વર્ષે જ 1,000 થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ માટે જોડાયા છે.કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાના હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે.



વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે અમદાવાદ

અમદાવાદ ખાતે સતત એક મહિના સુધી સમગ્ર કાર્યક્રમ ચાલવાનો છે.ત્યારે પદ્ધતિસર ટુકડીઓ મુજબ વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવમાં સેવા અર્થે મોકલવામાં આવશે.
First published:

Tags: BAPS, Junagadha, Local 18, Pramukh Swami Maharaj