Home /News /jamnagar /Jamnagar News: ગામડાંના હોય તો શું થયું! જામનગરના 3 દિવ્યાંગ ખેલાડીની નેશનલમાં પસંદગી, મહારાષ્ટ્રમાં રમવા જશે!
Jamnagar News: ગામડાંના હોય તો શું થયું! જામનગરના 3 દિવ્યાંગ ખેલાડીની નેશનલમાં પસંદગી, મહારાષ્ટ્રમાં રમવા જશે!
જામનગરનું ગૌરવ
જામનગરના સિનિયર દિવ્યાંગ ખેલાડી બિપીન અમૃતીયાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના 3 દિવ્યાંગ ખેલાડીઓ અને એક દ્વારકાના ખેલાડી સહિત 4 ખેલાડી આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહયા છે.
Kishor chudasama, jamnagar: નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં જામનગરના 3 દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. 20 માર્ચ સુધી મહારાષ્ટ્રના પુનામાં શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાલેવાડી ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 21 મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022-23 યોજાવા જઈ રહી છે. ત્યારે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી સિનિયર દિવ્યાંગ ખેલાડી બિપીન અમૃતીયાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના 3 દિવ્યાંગ ખેલાડીઓ અને એક દ્વારકાના ખેલાડી સહિત 4 ખેલાડી આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહયા છે.
જેમાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશ બગડાની ઊંચી કૂદ કેટેગરીમાં પસંદગી થઈ છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના નેહા ગઢવીની ચક્ર ફેંક કેટેગરીમાં પસંદગી થવા પામી છે.
નેશનલ લેવલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પસંદગી
એજ રીતે જામનગર તાલુકાના દિપક સંચાણીયા અને ભારતી રોઠોડ ગોળા ફેંક કેટેગરીમાં પસંદગી થઈ છે. જેઓ આગામી સમયમાં સ્પર્ધામા ભાગ લેવા જઈ રહયા છે. આ તકે, જામનગરના દિવ્યાંગ ખેલાડીઓની નેશનલ લેવલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પસંદગી થવા પર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ એમ. દરદાજાએ રાજીપો વ્યક્ત કર્યો હતો.