Jamnagar news: થોડા સમય પહેલા જ શાળાઓમાં ભૂલકાઓની ચીંચીંયારી ગૂંજી હતી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરને (coronavirus third wave) કારણે ફરી ઓનલાઇન (Offline study) શિક્ષણકાર્ય શરુ કરવાની ફરજ પડી છે. કોરોનના કેસમાં વધારો થતાં સરકાર દ્વારા ધોરણ 1થી 9 સુધીનું ઑફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરુ કરવાનાં આદેશ આપ્યા છે. આ નવી ગઇડલાઇનનું જામનગર શાળા સંચાલકો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.
જામનગરના શાળા સંચાલકોનું કહેવું છે કે ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ કાર્ય કરું કરવાનાં સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ, થોડા સમય પહેલા જ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું તેના કારણે શાળાઓમાં રોનક આવી ગઈ હતી, જો કે કોરોનાના કેસ વધતા બાળકોના હિતમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તે યોગ્ય છે.