કિંજલ કારસરીયા, જામનગર: જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી સવારે 15 વર્ષના તરુણની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત શખ્સો માથામાં ધારિયાનો ઘા ઝીંક્યા દીધા બાદ ગુપ્ત ભાગે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી ભાગી છુટ્યા હતા. આ અંગેની પોલીસને જાણ થતાં જ પંચકોશી એ. ડિવિઝન અને એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહ તેમજ હથિયારનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો
મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પંકજ કાળુભાઈ ડામોર નામના 15 વર્ષના તરૂણનો લોહીથી લથબથ મૃતદેહ પસાયા ગામની સીમ વિસ્તારમાંથી બુધવારે સવારે મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એલસીબીની ટુકડી વગેરે પસાયા ગામની સીમમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સાંભળી આગળની તપાસ હાથ ધરી હતી.
15 વર્ષનો તરુણ પંકજ કે જેના માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો. આ ઉપરાંત ગુપ્ત ભાગે પણ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. ત્યારબાદ બંને હથિયાર સ્થળ પર મૂકીને હત્યારા ભાગી છુટ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને પસાયા બેરાજા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ છે. કોઈ અજાણા શખ્સો દ્વારા તરૂણની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ આ મામલે વધુ તપાસ ચાલાવી રહી છે. આખરે કયા કારણોસર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે હજુ સુધી કોઈ વિગત બહાર આવી નથી. 15 વર્ષના તરૂણની ઘાતકી હત્યા મામલે પોલીસ પણ પોતાની તપાસ ચલાવી રહી છે. ઘટના સ્થળેથી ધારદાર હથિયારો પણ મળી આવ્યા છે. જેથી પોલીસે ઘટન સ્થળેથી મૃતદેહ અને હથિયારનો કબજો લઈ લીધો અને આગળની તપાસ શરૂ કરી છે.