અમદાવાદ: ઇંગ્લેન્ડના કેપ્ટન ઓએન મોર્ગને જણાવ્યું હતું કે, ઝડપી બોલર જોફ્રા આર્ચરની કોણીની ઈજા વધુ ખરાબ થઈ રહી છે અને તે ભારત સામે આગામી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માંથી બહાર થઈ શકે છે. 25 વર્ષીય ખેલાડીની પહેલેથી જ તેની જમણી કોણીમાં પીડા હતી જે હવે વધી ગઈ છે અને મોર્ગનને ખાતરી નથી કે તે 23 માર્ચથી પૂણેમાં વનડે સિરીઝમાં ભાગ લઈ શકશે કે નહીં.
મોર્ગને શનિવારે પાંચમી અને અંતિમ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ બાદ કહ્યું કે, ખાતરી નથી કે આર્ચર હમણાં વનડેમાં રમશે કે નહીં. આપણે તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાહ જોવી પડશે. તેની ઈજા સતત બગડતી રહી છે અને તેની સારવાર કરવી જરૂરી છે. આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ ઝડપી બોલર ટી 20 ટૂર્નામેન્ટની શરૂઆતમાં રમવાનું શંકાસ્પદ છે.
મોર્ગને કહ્યું કે, સામાન્ય રીતે ઝડપી બોલરોને ઈજા થાય છે. ચોક્કસપણે જોફ્રાની સ્થિતિ સારી નથી અને તેથી જ હું કહું છું કે તેની દેખરેખ રાખવાની જરૂર છે. કોણીના દુખાવાના કારણે આર્ચર ચોથી અને અંતિમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. આ પછી તેણે ટી 20 સિરીઝમાં વાપસી કરી હતી અને ચોથી મેચમાં 33 રન આપીને ચાર વિકેટ ઝડપીને તેની કારકિર્દીને શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
મહત્વનું છે, કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 23 માર્ચથી શરૂ થશે. ત્રણેય મેચ ફક્ત પૂનામાં જ રમવામાં આવશે. આ અગાઉ પાંચ ટી -20 મેચની શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 3-2થી જીત મેળવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર