Home /News /ipl /IPL 2022: CSKની નબળી ફિલ્ડિંગથી નારાજ રવિ શાસ્ત્રીએ કહ્યું- લાગે છે કે તે હાથમાં માખણ લઈને ઉતર્યા છે
IPL 2022: CSKની નબળી ફિલ્ડિંગથી નારાજ રવિ શાસ્ત્રીએ કહ્યું- લાગે છે કે તે હાથમાં માખણ લઈને ઉતર્યા છે
IPL 2022: મુંબઈએ પ્રથમ રમતમાં 155 રન બનાવ્યા છે. (CSK Instagram)
IPL 2022: CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ મેચમાં 2 કેચ છોડ્યા હતા. તે તેની સારી ફિલ્ડિંગ માટે જાણીતો છે. જ્યારે એમએસ ધોની સૂર્યકુમાર યાદવનું સ્ટમ્પિંગ ચૂકી ગયો હકો, ડ્વેન બ્રાવો સ્લિપમાં તિલક વર્માનો કેચ પકડી શક્યો નહીં. જો બ્રાવોએ આ કેચ પકડી લેધો હોત તો તે મુકેશ ચૌધરીની ચોથી વિકેટ લીધી હોત. સ્ટાર સ્પોર્ટ્સ પર ટિપ્પણી કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે એવું લાગે છે કે CSKના ખેલાડીઓ હાથમાં માખણ લઈને મેદાનમાં ઉતર્યા છે.
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની નબળી ફિલ્ડિંગથી નારાજ થયા છે. ટીમે 4 કેચ છોડ્યા હતા. IPL 2022ની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામસામે છે. મેચમાં પ્રથમ રમતા મુંબઈ (MI)એ 7 વિકેટે 155 રન બનાવ્યા છે. મુંબઈ માટે આ મેચ ઘણી મહત્વની છે. તે આ પહેલા રમાયેલી તમામ 6 મેચ હારી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જો ટીમ આ મેચ હારે છે તો તેની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ જશે. CSK માટે ડાબા હાથના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 19 રનમાં 3 વિકેટ લીધી હતી. ચેન્નાઈએ અગાઉ રમાયેલી 6 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે.
CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ મેચમાં 2 કેચ છોડ્યા હતા. તે તેની સારી ફિલ્ડિંગ માટે જાણીતો છે. જ્યારે એમએસ ધોની સૂર્યકુમાર યાદવનું સ્ટમ્પિંગ ચૂકી ગયો હકો, ડ્વેન બ્રાવો સ્લિપમાં તિલક વર્માનો કેચ પકડી શક્યો નહીં. જો બ્રાવોએ આ કેચ પકડી લેધો હોત તો તે મુકેશ ચૌધરીની ચોથી વિકેટ લીધી હોત. સ્ટાર સ્પોર્ટ્સ પર ટિપ્પણી કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે એવું લાગે છે કે CSKના ખેલાડીઓ હાથમાં માખણ લઈને મેદાનમાં ઉતર્યા છે. જેના કારણે તેઓ બોલને પકડી શકતા નથી. શિવમ દુબેએ પણ 19મી ઓવરમાં જયદેવ ઉનડકટનો સરળ કેચ છોડ્યો હતો.
ત્યાં જ ભારતના ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે કહ્યું કે આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. દબાણ હેઠળ કેટલીકવાર ખેલાડીઓ સામાન્ય કેચ પણ પકડી શકતા નથી. ત્યાં જ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું કે જ્યારે તમે સારા ખેલાડીઓની ફિલ્ડિંગની ટીકા કરો છો, ત્યારે તેઓ તેને સારું નથી માનતા. આ મારી સાથે થયું છે. દરમિયાન શાસ્ત્રીએ કહ્યું કે IPLની વર્તમાન સિઝનમાં ઘણા સારા બોલરો જોવા મળ્યા છે. પસંદગીકારોએ તેના પર નજર રાખવી જોઈએ કારણ કે આજે ઈન્ટરનેશનલ સામે ઘણી મેચો રમાઈ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. બંને ખાતું ખોલાવી શક્યા ન હતા. ડેવલ્સ બ્રેવિસ પણ માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવે 21 બોલમાં 32 અને IPLમાં ડેબ્યૂ કરી રહેલા રિતિક શોકીને 25 બોલમાં 25 રન બનાવ્યા હતા. તિલક વર્માએ અણનમ 51 રન ફટકારીને ટીમનો સ્કોર 150 રનથી આગળ કર્યો હતો. વર્તમાન IPL સિઝનમાં આ તેની બીજી અડધી સદી છે. તેણે 43 બોલનો સામનો કર્યો હતો. 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જયદેવ ઉનડકટે અંતે 9 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર