ખેડૂતો દોડો: કિસાન સન્માન નિધિ યોજના માટે અરજીની આજે છેલ્લી દિવસ
ખેડૂતો દોડો: કિસાન સન્માન નિધિ યોજના માટે અરજીની આજે છેલ્લી દિવસ
પ્રતિકાત્મક તસવીર
આ યોજના હેઠળ કુલ ર(બે) હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપત્ર થશે.
ન્યૂઝ 18 ગુજરાતી: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂત પરિવારને સહાયરૂપ થવા માટે “પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ (PM-KISAN)" યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ ર(બે) હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપત્ર થશે.
આ યોજના હેઠળ જમીનધારક કુટુંબ એટલે કે પતિ, પત્નિ અને સગીર બાળકો (અઢાર વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેકટર સુધી ખેડાણલાયક જમીન ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. જમીન ધારકતા અંગે તા.૧/ર/૨૦૧૯ ની સ્થિતિએ ખેડૂત તરીકે નોંધણી થયેલી હોવી જરૂરી છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકારના ડિજીટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરવાની છે. આજે (19 ફેબ્રુઆરી) છેલ્લી તારીખ છે. માટે ખેડૂતમિત્રોએ સબંધિત ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામસેવક, વીસીઈ (ગ્રામ્ય કોમ્યુટર સાહસિક)નો સંપર્ક કરવાનો રહેશે.
તમામ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ મેળવવા માટે તાત્કાલિક સબંધિત ગ્રામ પંચાયત ખાતે જરૂરી સાધનિક કાગળો સાથે રૂબરૂ જઈ પોતાની ઓનલાઈન અરજી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર