બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનું આજકાલ મથુરા-વૃંદાવન આવવા જવાનું ચર્ચાસ્પદ બન્યું છે. સુત્રોના મતે એવો કોઈ મહિનો નથી હોતો જ્યારે તેજપ્રતાપ મથુરા કે વૃંદાવન ન જાય.
સુત્રોએ તો ત્યાં સુધી કહ્યું છે કે તેજપ્રતાપ વૃદાંવનના છોટુ મહારાજના સંપર્કમાં છે. છોટુ મહારાજ તેજપ્રતાપને પૂજા-પાઠ કરાવે છે. સપ્ટેમ્બરમાં રાધા અષ્ટમીના દિવસે પણ છોટુ મહારાજે તેજપ્રતાપને પૂજા કરાવી હતી.
તે દિવસે તેજપ્રતાપ સિવાય તેના કેટલાક મિત્રો પણ સાથે હતા. તેજપ્રતાપે કુર્તો અને ધોતી પહેરી હતી. ગળામાં તુલસીની મોતીની માળા પણ પહેરી હતી. દોઢથી બે કલાક સુધી પૂજા ચાલી હતી.
તે દિવસે થયેલી પૂજાની એક તસવીરે ન્યૂઝ 18એ શોધી કાઢી છે. સુત્રોના મતે તેજપ્રતાપ બિહાર કે બહાર હોય ત્યારે પણ છોટુ મહારાજ સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં રહે છે.
જાણકારોના મતે છોટુ મહારાજ બાંકે બિહારી મંદિરના સેવાદાર અને ગોસાઈ પરિવારથી સંબંધ ધરાવે છે. છોટુ મહારાજનું નામ જ્ઞાનેન્દ્ર ગોસાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર