બાલાકોટ હુમલા પછી સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સરકારના પ્રમુખ લોકોને સ્પષ્ટ રુપથી જણાવી દીધું હતું કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર કોઈપણ જમીન પરના હુમલાને નિપટવા અને દુશ્મનની સરહદની અંદર યુદ્ધ લડવા માટે પૂરી રીતે તૈયાર છે. સેનાના ટોચના સૂત્રોએ આ જાણકારી આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી અને જેમાં પાકિસ્તાનની સરહદની અંદર જવું પણ સામેલ હતું. પુલવામાં આતંકી હુમલા પછી સરકાર જ્યારે હવાઇ હુમલા કરવા સહિત અલગ-અલગ વિકલ્પો ઉપર વિચાર કરી રહી હતી ત્યારે સેના પ્રમુખે સરકારને પોતાના દળની તૈયારીઓ વિશે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે જનરલ રાવતે સેવાનિવૃત્ત થઈ રહેલા અધિકારીઓના એક સમૂહ સાથે બંધ રુમમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે બાલાકોટ હુમલા પછી ભારતીય સેના પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવનાર કોઈપણ આક્રમકતા સાથે નિપટવા દરેક રીતે તૈયાર હતી.
જનરલ રાવતની ટિપ્પણીની વ્યાખ્યા કરતા સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે સેના પ્રમુખ એ કહેવા માંગી રહ્યા છે કે સેના યુદ્ધને પાકિસ્તાનની સરહદમાં લઈ જવા માટે તૈયાર હતી. સૂત્રોએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા પછી ભારતીય સેનાએ 11 હજાર કરોડ રુપિયાના શસ્ત્ર ખરીદ કરારને અંતિમ રુપ આપ્યું હતું અને તેમાં 95 ટકા મળી ચૂક્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર