Home /News /india /કોઈપણ પરિસ્થિતિ હોય પટના સાહિબથી જ ચૂંટણી લડીશઃ શત્રુધ્ન સિન્હા

કોઈપણ પરિસ્થિતિ હોય પટના સાહિબથી જ ચૂંટણી લડીશઃ શત્રુધ્ન સિન્હા

કોઈપણ પરિસ્થિતિ હોય પટના સાહિબથી જ ચૂંટણી લડીશઃ શત્રુધ્ન સિન્હા

પોતાની પત્ની પૂનમ સિન્હાના મેદાનમાં ઉતરવા વિશે કહ્યું હતું કે સમય આવવા દો, બધુ ખબર પડી જશે

બીજેપી સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિન્હાએ જાહેરાત કરી છે કે કશું પણ થાય આવનારી લોકસભા ચૂંટણીમાં તે પટના સાહિબથી જ મેદાનમાં ઉતરશે. શત્રુધ્નએ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઇપણ હોય લોકેશન તે જ રહેશે. જ્યારે પોતાની પત્ની પૂનમ સિન્હાના મેદાનમાં ઉતરવા વિશે કહ્યું હતું કે સમય આવવા દો, બધુ ખબર પડી જશે.

રાજનીતિક ગરમાવા વચ્ચે ગત દિવસોમાં લખનઉ આવેલા શત્રુધ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત કરીને ઘણી અટકળોને હવા આપી હતી. જોકે પાર્ટી તરફથી તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. શત્રુધ્નએ આ મુદ્દા પર મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. આ મુલાકાત પછી કહેવામાં આવે છે કે પૂનમ સિન્હા એસપી-બીએસપી ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીની ઉમેદવાર બની શકે છે.

આ પણ વાંચો - Big News: જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત: સૂત્ર

પોતાની પત્ની પૂનમ સિન્હાને ચૂંટણીના મેદાનમાં ઉતરવા વિશે કહ્યું હતું કે પૂનમ ઘણા દિવસોથી સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. લોકો ઇચ્છે છે કે તે ચૂંટણી લડે પણ હું આગામી લોકસભા ચૂંટણી લડવા વિશે હાલ કશું કહી શકું નહીં.

શું પૂનમને એસપી-બીએસપી ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટની ઓફર થઈ છે તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે સમય આવવા દો બધું સ્પષ્ટ બની જશે.

છેલ્લા ઘણા સમયથી શત્રુધ્ન સિન્હા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બધુ ઠીક નથી. તેમણે ઘણી વખત પોતાનો અસંતોષ જાહેર કર્યો છે.એવી અટકળો છે કે શત્રુધ્ન સિન્હાના તેવર જોતા ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાનો ઉમેદવાર ન બનાવે.
First published:

Tags: 2019 General Elections, Shatrughan Sinha, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો