Home /News /india /10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, એક સપ્તાહમાં થઈ જશે લાગુ

10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, એક સપ્તાહમાં થઈ જશે લાગુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફાઇલ તસવીર

હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે

દેશમાં આર્થિક રુપથી સામાન્ય વર્ગના લોકો માટે શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતના સંવિધાન સંશોધન વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે આ બાબતની અધિસુચના જાહેર કરી છે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે. આ પછી આર્થિક રુપથી પછાત લોકો માટે આ અનામત લાગુ થઈ જશે.

સામાન્ય વર્ગના આર્થિક રુપથી પછાત લોકોને નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદી કેબિનેટે 7 જાન્યુઆરીએ મોહર લગાવી હતી. આ પછી 8 જાન્યુઆરીએ લોકસભામાં સંવિધાનનું 124મું સંશોધન વિધેયક-2009 રજુ કરવામાં આવ્યું હતું. જે લોકસભામાં પાસ થયું હતું. બિલના સમર્થનમાં 323 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં 3 સભ્યોએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચો - અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ, પણ એ લોકો મજબૂર સરકાર ઇચ્છે છે: મોદી

9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા. જ્યારે 7 સભ્યોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.

બીજી તરફ આ અમાનતના વિરોધમાં એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન કરી છે. બિલ રાજ્યસભામાં પાસ થયાના બીજા જ દિવસે આ અરજી કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય કરશે તેના ઉપર બધાની નજર રહેશે.
First published:

Tags: 10% reservation, President Ramnath Kovind, Ramnath kovind