Home /News /india /મોદી સાથે 43 વર્ષથી મિત્રતા છે પણ તેમને ક્યારેય ચા વેચતા જોયા નથીઃ તોગડીયા

મોદી સાથે 43 વર્ષથી મિત્રતા છે પણ તેમને ક્યારેય ચા વેચતા જોયા નથીઃ તોગડીયા

‘મોદી સાથે 43 વર્ષથી મિત્રતા છે પણ તેમને ક્યારેય ચા વેચતા જોયા નથી’

9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે - પ્રવિણ તોગડીયા

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે તેની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતા 43 વર્ષની છે પણ તેમણે ક્યારેય મોદીને ચા વેચતા જોયા નથી. પ્રધાનમંત્રીની ચા વેચવાની છાપ ફક્ત જનતાની સહાનુભુતિ મેળવવા માટે છે.

હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રહેલા તોગડીયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો રામ મંદિર બનાવવાનો ઇરાદો નથી. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે તોગડીયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નિવેદન પછી આરએસએસના નેતા ભૈય્યા જી જોષીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી પાંચ વર્ષમાં રામ મંદિર બનશે નહીં. આ બંને સમૂહે (બીજેપી અને આરએસએસ)દેશની 125 કરોડ જનતાને અંધારામાં રાખ્યા છે પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.

તોગડીયાએ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે. પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે તે ત્રણ તલાક બિલ લાવવા માટે અડધી રાત સુધી સંસદ ચલાવી શકે છે પણ આવું રામ મંદિરના મુદ્દે કરવા માંગતા નથી.

આ પણ વાંચો - નાયડુએ 10 ટકા સવર્ણ અનામતમાંથી પાંચ ટકા કાપુ જ્ઞાતિને આપી

તોગડીયાએ કહ્યું હતું કે મોદી જો ફરી પણ જીતી જાય તો પણ રામ મંદિર બનશે નહીં, કારણ કે આ બીજેપી અને આરએસએસના જીવનનો આધાર છે. એક મુદ્દો ચાલ્યો જાય તો આ બે દળો પાસે કશુ જ બચે નહીં અને તે ખતમ થઈ જશે. જેથી તે આ મુદ્દાને બનાવી રાખવા માંગે છે.

તોગડીયાએ દાવો કર્યો છે કે જો તેમની પાર્ટી સત્તા પર આવશે તો કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 35-એ રદ કરાશે અને ત્યાં કોઈપણ જમીન ખરીદી શકશે. પત્થરબાજોને સબક શીખવાડવામાં આવશે. 2019ની ચૂંટણી હાર્યા પછી મોદીએ ગુજરાત અને ભૈય્યા જી જોષીએ નાગપુર પાછા ફરવું પડશે.
First published:

Tags: Praveen Togadia, નરેન્દ્ર મોદી, પીએમ મોદી