ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કારની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મ શ્રી થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ કલા, સમાજ સેવા, લોક મામલા, વિજ્ઞાન, વેપાર, મેડિસન, સાહિત્ય, શિક્ષા, સ્પોર્ટ્સ અને સિવિલ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારને આપવામાં આવે છે. દર વર્ષે ગણતંત્ર દિવસે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે. જે રાષ્ટ્રપતિ ભવનમાં માર્ચ કે એપ્રિલમાં આયોજીત કાર્યક્રમમાં એવોર્ડ વિતરણ કરવામાં આવે છે.
પદ્મ પુરસ્કાર મેળવનારમાં 21 મહિલાઓ, એક ટ્રાન્સજેન્ડર, 11 વિદેશી/એનઆઈઆઈ/પીઆઈઓ/ઓસીઆઈ સામેલ છે. પદ્મ પુરસ્કારમાં ત્રણ વ્યક્તિ એવા છે જેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર