અમેરિકી રક્ષા મંત્રાલયના હેડ ક્વાર્ટર પેન્ટાગન તરફથી ભારત દ્વારા એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણનું સમર્થન કર્યાના એક દિવસ પછી ડીઆરડીઓ તરફથી બતાવવામાં આવ્યું છે કે મિશન શક્તિથી ફેલાયેલ કાટમાળ આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનને કોઇ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. ડીઆરડીઓ પ્રમુખ સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે 45 દિવસની અંદર મિશન શક્તિથી ફેલાયલ કચરો પોતાની રીતે નષ્ટ થઈ જશે.
ડીઆરડીઓ પ્રમુખ સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે પરીક્ષણ કર્યા પછી આ મિશનને ગુપ્ત રાખી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે અંતરિક્ષમાં થતી કોઈપણ પ્રકારની હલચલની જાણ માટે દુનિયાભરના સ્ટેશનનોની નજર રહે છે. આ જ કારણે કોઇપણ પ્રશિક્ષણ કરતા પહેલા બધી જરુરી મંજૂરી લેવી પડે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસાના પ્રશાસક ડિમ બ્રાઇડેંસ્ટાઇને સોમવારે કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવેલ પરીક્ષણથી ફેલાયેલ કચરો આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન સાથે ટકરાઇ શકે છે અને આ ઘણી જ ઘાતક સ્થિતિ હશે. તેમનું આ નિવેદન વર્તમાન યૂએસ ડિફેન્સ સેક્રેટરી પૈટ્રિક માઇકલ શનાહનના તે નિવેદનથી વિપરિત હતું. જેમાં તેમણે કહ્યું હતું કે કાટમાળ ધીરે-ધીરે સળગી જશે અને તેના કારણે કોઈપણ સેટલાઇટને ખતરો નથી. જ્યારે પેન્ટાગનના પ્રવક્તા ચાર્લી સમર્સને પુછવામાં આવ્યું કે તે શનાહનના મતથી સહમત છે તો તેમણે કહ્યું હતું કે હા, હું સહમત છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર