પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના સેરમપુરમાં રેલી દરમિયાન મમતા બેનરજી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ મમતા બેનરજીના એ નિવેદન ઉપર ધન્યવાદ આપ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીને માટીથી બનેલા રસગુલ્લા મોકલાવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું દીદીનો ઘણો આભારી છું. તમે જેટલા પણ રસગુલ્લા બનાવીને મોકલશો અને તેમાં જેટલા પણ પત્થર આવશે તેને હું લેવા માટે તૈયાર છું. પીએમ મોદીએ કહ્યું હતું કે આ પત્થર તમારા ગુંડા નિર્દોષ લોકોને મારવામાં ઉપયોગ કરે છે. હું તે બધા પત્થર ખાવા તૈયાર છું જે નિર્દોષ લોકોના માથા ફોડવામાં ઉપયોગ થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે દીદી તમારી જમીન સરકી ગઈ છે અને જોઈ લેજો કે 23 મે ના રોજ પરિણામ આવશે ત્યારે તમારા ધારાસભ્યો પણ તમને છોડીને ભાગી જશે. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે. આજે જે પશ્ચિમ બંગાળમાં ગુસ્સો છે તે તમારા વિશ્વાસઘાતનો છે અને આ વિશ્વાસઘાતની કિંમત અહીંના યુવાનો લઈને રહેશે. જનતાની આંખોમાં એક જ સપના જોવા મળી રહ્યા છે. જનતાના જિગરમાં એક જ સંકલ્પ છે અને તે છે - ચુપે-ચાપ કમલ છાપ, ચુપે-ચાપ કમલ છાપ.
#WATCH Prime Minister Narendra Modi in Serampore, West Bengal: Didi, on 23 May when the results will come, lotus will bloom everywhere and your MLAs will leave you. Even today, didi, 40 of your MLAs are in contact with me. pic.twitter.com/XaZQ4BORwO
दीदी आपने विश्वासघात किया है, आज जो पश्चिम बंगाल में गुस्सा है वो आपके विश्वासघात का है और इस विश्वासघात की कीमत यहां का नौजवान लेकर रहेगा: पीएम @narendramodi#IndiaVotesForNaMo
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. મમતાએ કહ્યું હતું કે મોદી ચૂંટણી પહેલા ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યા નથી અને હવે લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે. અમે તેમને બંગાળના રસગુલ્લા આપીશું. અમે માટીથી મિઠાઇ બનાવીશું અને તેમાં કાંકરા નાથીશું. આ મિઠાઈ ખાવાથી તેમના દાંત તુટી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર