Home /News /india /પૂર્વ કેન્દ્રીય મંત્રી Pandit Sukh Ramનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પૂર્વ કેન્દ્રીય મંત્રી Pandit Sukh Ramનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખ રામનું નિધન

Pandit Sukh Ram passed away: આવતીકાલે સવારે 11 વાગ્યે, પંડિત સુખરામના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મંડી શહેરના ઐતિહાસિક સેરી મંચ પર રાખવામાં આવશે, ત્યારબાદ હનુમાનઘાટ સ્થિત સ્મશાનભૂમિમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વધુ જુઓ ...
સંચાર ક્રાંતિના મસીહા અને હિમાચલ પ્રદેશની રાજનીતિના ચાણક્ય કહેવાતા પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પંડિત સુખ રામનું (Pandit Sukh Ram Passed away) નિધન થયું છે. તેમણે છેલ્લી રાત્રે લગભગ 1.30 વાગ્યે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે તેમને ફરીથી હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. આ પહેલા 9 મેની રાત્રે પણ હાર્ટ એટેકના કારણે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

ગઈકાલે રાત્રે ફરી હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. તેમના પૌત્ર આશ્રય શર્માએ સોશિયલ મીડિયા દ્વારા તેમના દાદાના મૃત્યુની માહિતી આપી છે. તેણે ગુડબાય દાદાજી લખ્યું છે, હવે ટેલિફોનની ઘંટડી નહીં વાગે.

આ પણ વાંચો -PAK નો નાપાક ઇરાદો, 'લશ્કર-એ-ખાલસા' દ્વારા ભારતમાં શાંતિ ભંગ કરવા પાકિસ્તાનનો પ્રયાસ - IB એલર્ટ

પરિવાર તરફથી મળેલી માહિતી મુજબ આજે પંડિત સુખરામના પાર્થિવ દેહને દિલ્હીથી મંડી લાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાલાપડ, સુંદરનગર, નાચન અને બાલ્હ સહિત મંડી સદરમાં મોટી સંખ્યામાં લોકો પંડિત સુખરામને શ્રદ્ધાંજલિ આપવા માટે રસ્તાઓ પર ઉમટી પડશે. આવતીકાલે સવારે 11 વાગ્યે, પંડિત સુખરામના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મંડી શહેરના ઐતિહાસિક સેરી મંચ પર રાખવામાં આવશે, ત્યારબાદ હનુમાનઘાટ સ્થિત સ્મશાનભૂમિમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પંડિત સુખરામના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો -Char Dham Yatra: ઉત્તરાખંડમાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ; સ્થાનિકોને પડી મોજ, પ્રશાસનને વળ્યો પસીનો!

તમને જણાવી દઈએ કે હિમાચલની સાથે સાથે પંડિત સુખરામ દેશની રાજનીતિમાં એક જાણીતો ચહેરો રહી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા તબિયત બગડતા અને બ્રેઈન સ્ટ્રોક બાદ પંડિત સુખરામને મંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેમને દિલ્હી એઈમ્સમાં શિફ્ટ કરવા માટે તેમનું હેલિકોપ્ટર આપ્યું હતું. સદરના ધારાસભ્ય અનિલ શર્માએ જણાવ્યું હતું કે તેમના પિતાને ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.
First published:

Tags: Himachal News