રમઝાનમાં મતદાનના મુદ્દા પર ચૂંટણી પંચે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે કોઈપણ શુક્રવાર કે તહેવારના દિવસે મતદાન નથી. રમઝાનના આખા મહિનામાં ચૂંટણી ન હોય તેમ બની શકે નહીં. ચૂંટણી પંચનું આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ઘણી પાર્ટીઓ રમઝાનમાં મતદાનમાં થનાર નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે 2 જૂન પહેલા નવી સરકાર બનવી જરુરી હતું. આવા સમયે તેને વધારે ટાળી શકાય નહીં. સાથે એક મહિના સુધી ચૂંટણી ના હોય તે સંભવ નથી. જેથી પંચે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કોઇપણ શુક્રવારે કે કોઈ તહેવારના દિવસે મતદાન ના હોય. ચૂંટણી પંચે કહ્યું હતું કે અમારી પાસે આ તારીખોને બદલાવવાનો કે ચૂંટણીના સમયને આગળ-પાછળ કરવાનો કોઈ વિકલ્પ જ ન હતો.
ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વોટિંગની તારીખ રમઝાન મહિનામાં આવી રહી છે. આવા સમયે મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓએ ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તારીખો બદલવાની માંગણી કરી હતી.
બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે રમઝાન મહિનામાં મતદાનથી કોઈ પરેશાન નથી. રમઝાનમાં ચૂંટણીનું સ્વાગત કરીએ છીએ. રમઝાનથી વોટિંગ પર કોઈ અસર પડશે નહીં. તેના ઉપર રાજનીતિ ના કરો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર