દિલ્હીના પંચશીલ પાર્કમાં એક 32 વર્ષીય ફ્લાઇટ એટેન્ડેન્ટે તેના ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. અનીસિયા બત્રાના પતિએ પોલીસને આ જાણકારી આપી હતી. અનીસિયા લુફ્તાન્સા એરલાઇન્સમાં કામ કરી ચુકી છે. તેના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. અનીસિયાના પિતા આર્મીના રિટાયર્ડ મેજર જનરલ છે.
અનીસિયાના મોતના એક દિવસ પહેલા તેના પિતાએ પોલીસમાં એક અરજી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની દીકરી પર તેના પતિ અને સાસરિયા પક્ષનો લોકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. તેના પતિ અને તેના સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવે. આર.એસ બત્રાએ જણાવ્યું હતું કે પોલીસે હજી સુધી તેના પતિ કે કોઈ લોકોની ધરપકડ કરી નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અનીસિયા બત્રાના પતિ મયંક સિંઘવીએ પોલીસને જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે તેને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં તેણીએ લખ્યું હતું કે તે આપઘાત કરવા જઈ રહી છે. મેસેજ મળ્યો ત્યારે તે ઘરે હતો. પરંતુ જ્યાં સુધી તે ઘરની છત પર પહોંચ્યો ત્યાં સુધી તે કૂદી ગઈ હતી. બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
અનીસિયા બત્રા પતિ મયંક સાથે
અનીસિયા બત્રાના ભાઈ કરણ બત્રાએ કહ્યું હતું કે છત પરથી કૂદતા પહેલ તેણીએ તેનો સંપર્ક કર્યો હતો. તેણીએ લખ્યું હતું કે, "મારી બહેને મેસેજ કરીને પોલીસ બોલાવવાનું કહ્યું હતું. તેણીએ કહ્યું હતું કે મયંકે તેને રૂમમાં બંધ કરી દીધી હતી. તેના કારણે હું આવું પગલું ભરું છે, તેને છોડશો નહી."
અનીસિયા અને મયંકના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. અનીસિયાના પરિવારનો દાવો છે કે લગ્ન કર્યા બાદમાં મયંક તેને પરેશાન કરતો હતો. તે અવાર નવાર અનીસિયા સાથે મારપીટ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો. તે દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર