Home /News /india /મહાબલીપુરમમાં મળ્યા બે મહાબલી, PM મોદીએ આવી રીતે કર્યું જિનપિંગનું સ્વાગત

મહાબલીપુરમમાં મળ્યા બે મહાબલી, PM મોદીએ આવી રીતે કર્યું જિનપિંગનું સ્વાગત

બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત, મહાબલીપુરમમાં પીએમ મોદી પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા

બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત, મહાબલીપુરમમાં પીએમ મોદી પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા

    ચેન્નઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે  મહાબલીપુરમમાં મુલાકાત થઈ હતી.  મહાબલીપુરમમાં પીએમ મોદી પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ જિનપિંગને મહાબલીપુરમ વિશે જાણકારી આપી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મહાબલીપુરમના શોર મંદિરમાં આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. જિનપિંગના સન્માનમાં જે શોર મંદિરમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે તેને યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળેલું છે.

    મહાબલીપુરમના શોર મંદિરમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને જિનપિંગ પંચ રથ પણ ગયા હતા.



    આ પણ વાંચો - જાણો કેટલી ખાસ છે ITC Grand Chola હોટલ, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ રોકાયા છે

    બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત છે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું 12 ઑક્ટોબર (શનિવાર)નું શિડ્યૂલ

    - 10.00થી 10.40 AM: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે.
    - 10.50થી 11.40 AM: ભારત-ચીનની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત થશે
    - 11.45 AMથી 12.45 PM: ચીનના રાષ્ટ્રપતિના સન્માનમાં લંચનું આયોજન
    - 2.00 PM: પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે, શી જિનપિંગ બીજિંગ માટે રવાના થશે.
    First published: