Home /News /india /અયોધ્યા મામલાની સુનાવણી માટે CJIએ બનાવી નવી બેન્ચ

અયોધ્યા મામલાની સુનાવણી માટે CJIએ બનાવી નવી બેન્ચ

પ્રતિકાત્મક તસવીર

હવે 29 જાન્યુઆરીએ 5 જજોની નવી બેન્ચ મામલાની સુનાવણી કરશે

અયોધ્યા મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નવી બેન્ચનું ગઠન કર્યું છે. નવી બેન્ચનાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર સામેલ છે. હવે 29 જાન્યુઆરીએ 5 જજોની નવી બેન્ચ મામલાની સુનાવણી કરશે. રિપોર્ટ પ્રમાણે બેન્ચના અન્ય ત્રણ જજમાં CJI રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ હશે

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુનાવણી દરમિયાન બન્ચના એક જસ્ટિસ ઉદય યુ લલિતે સુવાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. જેથી સુપ્રીમ કોર્ટે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલાની સુનાવણી માટે નવી બેન્ચ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો - શું અડવાણી અને મુરલી મનોહર જોષી લોકસભાની ચૂંટણી લડશે, BJPએ લીધો આવો નિર્ણય

આ પહેલા સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટેમાં જસ્ટિસ યૂયૂ લલિત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 1994માં યૂયૂ લલિત કલ્યાણસિંહ માટે રજૂ થઈ ચૂક્યા છે. આ કારણે તે અલગ થઈ ગયા હતા
First published:

Tags: Ayodhya case, CJI, Ranjan gogoi, Supreme Court, અયોધ્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો