ભરતસિંહ વાઢેર, વલસાડ : પતિ પત્નીના સંબંધોને સાત જન્મના માનવામાં આવે છે. જોકે પતિ અને પતિમાં વચ્ચે જયારે વો નો પ્રવેશ થાય છે. ત્યારે હંમેશા સંબંધોની હત્યા થાય છે તો ક્યારેક આ અનૈતિક સંબંધોનો અંજામ લોહિયાળ આવે છે. ત્યારે ફરી એકવાર વલસાડ જિલ્લામાં (Valsad district)એક સુખી સંસારમાં એક વો ની એન્ટ્રી થઇ હતી અને પતિ પત્નીના સુખી સંસારમાં ઝઘડા અને કંકાસ શરુ થયા અને અંજામ મોત સુધી પહોંચ્યો છે.
વલસાડ (Valsad)જિલ્લામાં કપરાડા તાલુકા પોલીસ સ્ટેશનની (Kaprada Taluka Police Station)હદમાં આવેલ ચાવશાળા ગામમાં રહેતી સંગીતાબેનના લગ્ન શંકર ચૌધરી સાથે થયા હતા. ગત અઠવાડિયે શંકર ચૌધરીની લાશ તેના જ ગામમાં એક ખેતરમાં મળી આવી હતી. મૃતકના ભાઈ મગન ભાઈ ચૌધરીની ફરિયાદ લઇને કપરાડા પોલીસે હત્યાના (Murder)આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. કપરાડા પોલીસની તપાસમાં પત્ની સંગીતાના નિવેદન શંકા ઉપજાવે તેવા હતા. જેથી વલસાડ પોલીસે ઉલટ તપાસ કરતા શંકર ચૌધરીની હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો છે. શંકર ચૌધરીની હત્યા તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાના ચોંકવનારા ખુલાસા થયા છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો સંગીતા ચૌધરીની વાપીની એક કંપનીમાં સાથે કામ કરતા કામદાર અસ્ફાક ઉર્ફે શાહીલ સાથે નજર મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિને થતા ઘરકંકાસ થતો રહેતો હતો. જેનાથી કંટાળીને સંગીતાએ અસ્ફાક અને તેની સાથે સગીર મિત્રની મદદ મેળવીને 23 નવેમ્બરની રાત્રીએ પતિ શંકર ચૌધરીની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જેમાં રાત્રે સુઈ ગયા બાદ સંગીતા અને અસ્ફાક અને સગીર મિત્રની મદદ વડે શંકરભાઈ ચૌધરીના માથાના ભાગે હાથોડાના ઘા મારી કમકમાટીભર્યું મોત નિપજાવ્યું હતું. ત્યાર બાદ શંકરભાઈની લાશને નજીકમાં આવેલા ખેતરમાં મૂકી આવ્યા હતા. ત્યાંથી ઘરે પરત ફરી કપડાં બદલી સંગીતા સુઈ ગઈ હતી અને આસ્ફાક તેના સાથી મિત્ર સાથે MP જવા રવાના થયા હતા.
કપરાડા પોલીસે ટેકનિકલ એનાલિસિસ ટીમની મદદ વડે અને સંગીતાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. હત્યામાં પ્રેમી અસ્ફાક અને તેનો સગીર મિત્ર MP ભાગી ગયા હતા. જોકે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં જ ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદથી આરોપીઓને મધ્ય પ્રદેશથી ઝડપી પાડયા હતા.
હત્યાની આ ગુત્થી ઉકેલવામાં જી આર ડી જવાનોની ખૂબ અગત્યની ભૂમિકા બહાર આવી છે. GRDના જવાનોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અસ્ફાક અને તેની સગીર મિત્ર ઉપર શંકા જતા GRDના જવાનોએ તેમનો ફોટો પાડી લીધો હતો. જે ફોટોના આધારે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. કપરાડા પોલીસ મથકમાં GRDમાં ફરજ બજાવતા ઇઠલભાઈ શંકારામ ચૌધરી, ઉમેશભાઈ ભુવાનભાઈ ચૌધરી અને વીનેશભાઈ રમેશભાઈ ચૌધરીની ઉત્તમ કામગીરીને લઈને વલસાડ પોલીસ આરોપી સુધી જલ્દી સફળતા પૂર્વક પહોંચી શકી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર