Home /News /gujarat /Global Patidar Summit 2022 in Surat - તમે ખેડૂતોની મહેનતને વધારે ચમકાવી શકો છો, અન્નદાતા ઉર્જાદાતા બને તે સપનું : પાટીદાર સમિટમાં પીએમ મોદી
Global Patidar Summit 2022 in Surat - તમે ખેડૂતોની મહેનતને વધારે ચમકાવી શકો છો, અન્નદાતા ઉર્જાદાતા બને તે સપનું : પાટીદાર સમિટમાં પીએમ મોદી
પીએમ મોદી
PM in Patidar Global Summit: 'અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો તો હીરાની જેમ ગુજરાતના ખેડૂતોની મહેનતને પણ ચમકાવો.'
સુરત : સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં (Surat) આજથા શુક્રવારથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું (Global Patidar Business Summit 2022) આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કર્યુ હતુ.
'તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે'
પીએમ મોદીએ સમિટનું ઉદ્ધાટન કરીને કહ્યુ કે, આધુનિક કનેક્ટિવિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે.
'નાનો વેપારી પણ ભારતની વિકાસગાથા સાથે જોડાયેલા છે '
પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.
પીએમ મોદીએ પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યુ કે, અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવવો. આપણે બહારથી અનાજ નથી લાવવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હિરા ચમકાવો એમ ખેડુતોની મહેનત પણ ચમકાવો, ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.
નેતાઓ સાથે બિઝનેસ પર્સન્સ પણ રહેશે હાજર
સુરતનાં સાંસદ દર્શનાબહેન જરદોષ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પૂર્ણેશ મોદી, હર્ષસંઘવી, વિનુભાઇ મોરડિયા, મુકેશ પટેલ ઉપરાંત સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી તેમજ પાટીદાર આગેવાનો ગોવિંદભાઇ ધોળકિયા, સવજીભાઇ ધોળકિયા, લવજીભાઇ બાદશાહ, મથુરભાઇ સવાણી, દિનેશભાઇ નાવડિયા વગેરે સહિત વિશ્વના વિવિધ દેશોના પાટીદાર અગ્રણીઓ –બિઝનેસ પર્સન્સ સહિત અનેક નાના મોટા ઉદ્યોગ સાહસિકો આ સમિટમાં ભાગ લેશે. માત્ર પાટીદાર જ નહીં પણ સર્વ સમાજના ઔદ્યોગિકક વ્યાપારીઓ પણ આ ગ્લોબલ સમિટમાં હાજરી આપશે.
ગ્લોબલ પાટીદાર સમિટમાં અંદાજે પાંચ લાખ કરતાં વધુ વિઝિટર્સ આવે તેવી શક્યતા છે. આ સાથે સમિટમાં 950 કરતાં વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીથી તાપી સુધીના. સામાજિક સમરસતાના ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં અંદર 13થી 15 અલગ-અલગ ચેપ્ટર ભાગ લેશે. જેમ કે, ડેરી ઉદ્યોગ એગ્રીકલ્ચર આઇટી અને ફાર્મા. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે.
આ અંગે મીડિયા સાથેની વાચચીતમાં ગ્લોબલ પાટીદાર સમિટના કન્વીનર મનીષ કાપડીયા જણાવ્યું હતુ કે, રાજ્યનું ફાઈનાન્સિયલ કેપિટલ સુરત ગણાય છે. વિશ્વનું ઝડપી વિકસિત શહેર છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર થઇને આવેલા પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણથી ડાયમંડ ટેક્સટાઇલ, રીઅલ એસ્ટેટ તેમજ વિવિધ ધંધામાં પ્રગતિ કરી છે. સુરતના વિકાસમાં સમગ્ર પાટીદાર સમાજનો અમૂલ્ય ફાળો છે. પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના લોકોને ઔદ્યોગિક સાહસિક તરીકેનું એક સારું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.